________________
૨૧૦
શુદ્ધ આકાશ સામે નજર કરે તો એને એમાં લાલ, લીલી, પીળી વગેરે પ્રકારની રેખાઓથી મિશ્રિત એવું આકાશ દેખાય છે.
આકાશ, સંપૂર્ણ સ્વચ્છ અને શુદ્ધ છે, પણ જોનારમાં દૃષ્ટિ દોષ છે. તેવી રીતે આત્મા સંપૂર્ણ શુદ્ધ છે, પણ જોનારની દૃષ્ટિમાં દોષ છે.
અહીં નિશ્ચયનયની દૃષ્ટિએ વાત કરવામાં આવી છે. નિશ્ચયનય પ્રમાણે આત્મા તો અખંડ, શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિર્વિકાર, ચૈતન્યસ્વરૂપ છે. પરંતુ વિભાવદશામાં આવેલો જીવ જ્યારે ક્રોધ કરે છે ત્યારે અવિવેકવાળા લોકો કહે છે કે જીવે અર્થાત્ આત્માએ ક્રોધ કર્યો. વસ્તુતઃ ક્રોધ, લોભ, મોહ, માયા, મમતા ઇત્યાદિ કશું જ શુદ્ધાત્મા કરતો નથી. પરંતુ આત્માની વિભાવદશાને એની સ્વભાવદશા માની લેવાના અવિવેકને કારણે તેમ થાય છે.
એટલે સાધકે એવી વિવેકદૃષ્ટિ કેળવવી જોઈએ કે જેથી એને પોતાના વિશુદ્ધ આત્મસ્વરૂપનું યથાર્થ દર્શન થાય.
[૧૧૬] ચથા યોધૈ: તં યુદ્ધં સ્વામિચેવોપચયંતે ।
જ્ઞાનસાર
शुद्धात्मन्यविवेकेन कर्मस्कन्धोर्जितं तथा ।। १५ ।। ४ ।।
[શબ્દાર્થ : યથા=જેમ; યોધૈ:= યોદ્ધાઓ વડે; યોદ્ધાઓએ; i=કરેલું; યુદ્ધં=યુદ્ધ; સ્વામિનિ=સ્વામીમાં, રાજામાં; q=જ; ૩૫૨યંતે=આરોપાય છે; શુદ્ધાત્મનિ=શુદ્ધ આત્મામાં; અવિવેવેન=અવિવેક વડે; ર્મન્દ:=કર્મસ્કંધ, ડનિતં=ફળ; તથા=તેમ.]
અનુવાદ–જેમ સૈનિકોએ કરેલું યુદ્ધ રાજામાં જ આરોપાય છે, તેમ અવિવેક દ્વારા થયેલા કર્મસ્કંધનું ફળ શુદ્ધ આત્મામાં આરોપાય છે. (૪)
Jain Education International
વિશેષાર્થ : કોઈ એમ પ્રશ્ન કરે કે અમુક માણસે ક્રોધ કર્યો, બીજા માણસે ચોરી કરી, કે કોઈ એક માણસે બીજાની હત્યા કરી તો જો આત્મા કશું કરતો જ ન હોય તો એવું કેમ બોલી શકાય ? દુનિયા આખીમાં હજારો વર્ષથી એમ જ બોલાતું આવ્યું છે, તો શું બોલનારા બધા ખોટા ? આ પ્રશ્નનો ઉત્તર અહીં
For Personal & Private Use Only
www.jainelibrary.org