SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫. વિવેકાષ્ટક ૨૦૯ सुदपरिचिताणुभूता सव्वस्स वि कामभोगबंधकहा । एगत्तस्सुवलंभो णवरिण सुलभो विभत्तस्स ।। સર્વ જીવો વડે કામ ભોગના બંધની કથા સાંભળવામાં આવી છે, પરિચયમાં આવી છે અને અનુભવમાં આવેલી છે, તેથી સુલભ છે. પરંતુ વિભક્ત શરીરાદિથી ભિન્ન એવા આત્માની એકતા સાંભળવામાં આવી નથી, પરિચયમાં આવી નથી અને અનુભવમાં આવી નથી તેથી સુલભ નથી. રોજે રોજ કેટલાયે માણસો દુનિયામાં મરે છે એટલે કે દેહ નાશવંત છે, મૃત્યુ નિશ્ચિત છે, ફક્ત આત્મા જ અમર છે આવું બુદ્ધિથી જાણવું એ એક વાત છે અને પોતાના દેહ અને આત્માની ભિન્નતાનો ભેદજ્ઞાન વડે અનુભવ કરવો એ બીજી વાત છે. પહેલાં બહિરાત્મદશામાંથી અંતરાત્માની દશામાં આવવું પડશે. વિષય અને કષાયોની મંદતા વગર એ બની નહિ શકે. એ માટે જરૂર છે વિવેકની. પરંતુ જગતમાં આધ્યાત્મિક વિવેક અત્યંત દુર્લભ છે. [૧૧૫] ગુડપિ વ્યનિ તિમિર મિશ્રિતા યથા . विकारैर्मिश्रता भाति तथाऽत्मन्यविवेकतः ।। १५ ।। ३ ।। [શબ્દાર્થ ઃ શુદ્ધ=શુદ્ધ એવા; પિકપણ; વ્યોન=આકાશમાં; તિમિર=તિમિર રોગથી; ફેરવામ:=રેખાઓ વડે; મિત્રતા=મિશ્રતા, મિશ્રપણું; યથા=જેમ; વિર:=વિકારો વડે; મિશ્રતા=મિશ્રપણું; મતિ=ભાસે છે, જણાય છે; તથા તેમ; માત્મનિ=આત્મામાં; વિવેd:=અવિવેકથી.] અનુવાદ-જેમ સ્વચ્છ એવા આકાશમાં તિમિર રોગથી રેખાઓ વડે મિશ્રપણું ભાસે છે, તેમ આત્મામાં પણ અવિવેકથી વિકારો વડે મિશ્રપણું દેખાય છે. (૩) વિશેષાર્થ આંખોના જાત જાતના રોગ હોય છે. મોતિયાવાળાને ઝાંખું દેખાય છે, રતાંધળાને સૂર્યાસ્ત પછી કંઈ દેખાતું નથી, તેમ તિમિરના રોગવાળાને જોતી વખતે વચ્ચે જાતજાતના રંગો પણ દેખાય છે. એવા રોગવાળો માણસ સ્વચ્છ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy