________________
૨૦૮
જ્ઞાનસાર
'
આ છે.
[૧૧૪]હાત્માદવિવેaોડવં સર્વદા સુત્રો પવે
भवकोट्याऽपि तद्भेदविवेकस्त्वतिदुर्लभः ।। १५ ।। २ ।। [શબ્દાર્થ રેહાત્મવિ શરીર અને આત્મા વગેરે; વિવે: અવિવેક, મયં આ; સર્વા=સદા, હંમેશાં; સુનમ:=સુલભ, સુખેથી પ્રાપ્ત થઈ શકે એવો; મ=સંસારમાં; મવ=જન્મ; ત્યા=કરોડ વડે; f=પણ; વિવેeતેના ભેદનો વિવેક, ભેદજ્ઞાન; તુ=પણ; તિવર્તમ =અત્યંત દુર્લભ છે.]
અનુવાદ-સંસારમાં હંમેશાં શરીર અને આત્માનો આ અવિવેક સુલભ છે. તેનું ભેદજ્ઞાન (ભેદનો વિવેક) કોટિ જન્મોથી પણ અત્યંત દુર્લભ છે. (૨)
વિશેષાર્થ: સમસ્ત સંસારનું અવલોકન કરીએ તો સર્વત્ર એકેન્દ્રિયાદિ જીવો ઉપરાંત મનુષ્યો દિવસ રાત પોતપોતાની સંજ્ઞા અનુસાર, પોતપોતાની ઇન્દ્રિયો દ્વારા ભૌતિક-પૌગલિક સુખ ભોગવવામાં નિરંતર મગ્ન રહે છે. રોટી, કપડાં અને મકાન એ પ્રાથમિક જરૂરિયાત પૂર્ણપણે સંતોષવા માટે માણસો પ્રચંડ પુરુષાર્થ કરે છે. જે કોઈ પોતે ભૂખે મરે અને પરિવારને ભૂખે મારે એ મૂર્ખ ગણાય છે. અડધી દુનિયા તો પુનર્જન્મમાં માનતી નથી અને પ્રાપ્ત થયેલા જીવનને સુખસગવડવાળું બનાવવા માટે સતત મચેલી રહે છે. એ માટે નવી નવી શોધો થાય છે અને આખી દુનિયામાં તે પહોંચી જાય છે. ભારતમાં ચાર્વાક જેવું નાસ્તિક દર્શન પણ ખાઈપીને મોજ કરવાની ભલામણ કરે છે. એટલે ભૌતિક સુખની વાત સર્વ સુલભ છે. આહારાદિ કેટલીયે બાબતો એવી છે કે કોઈને શીખવવું પડતું નથી. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે, “સંસારમાં બધા ય જીવો શરીર અને આત્માના અભેદની વાસનાથી વાસિત છે.” એટલે કે શરીર એ જ આત્મા છે એ રીતે વ્યવહાર ચાલે છે.
ઉપાધ્યાયજી મહારાજે પોતાની ટીકામાં સમયમામૃત'માંથી નીચેની ગાથાનું અવતરણ આપ્યું છેઃ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org