________________
૧૫. વિવેકાષ્ટક
૨ ૦૭
નથી. સ્થૂલ પદાર્થોને છૂટા પાડીને અલગ અલગ કરવાના કામ જેવું આ કામ નથી. અલબત્ત, આ કામ એની મેળે ત્યારે થાય છે કે જ્યારે મૃત્યુ વખતે આત્મા દેહમાંથી અલગ થઈ જાય છે. અલબત્ત, ત્યારે પણ કાર્મણ વર્ગણાનાં પરમાણુઓ આત્મપ્રદેશમાં ચોંટેલા હોય છે.
આમ છતાં સાધનાથી, ધ્યાનથી એવી ઊંચી દશા પ્રાપ્ત થઈ શકે છે કે જ્યારે દેહ અને આત્મા બેફાડ જુદા જણાય. જે આમ અનુભવે તેને વિવેકવંત કહેવામાં આવે છે. સાધનાનું કાર્ય પૂરું થઈ જતું નથી. જ્ઞાનથી જાણ્યા પછી તેનો ત્યાગ અને ઉપાદેયનો સ્વીકાર થવો જોઇએ અને ત્યાંથી પણ ઘણું આગળ જવાનું હોય
જીવ અને કર્મનો સંબંધ ક્ષીરનીર જેવો એટલે કે દૂધ અને પાણી જેવો છે. મુનિને હંસ તરીકે ઓળખાવવામાં આવે છે, કારણ કે એવી લોકમાન્યતા છે કે હંસમાં એવી શક્તિ રહેલી છે કે એક પાત્રમાં દૂધ (જો કે દૂધમાં પાણી તો હોય જ છે.) આપવામાં આવે તો હંસ પોતાની ચાંચથી (જાણે ચાંચમાં ફિલ્ટર હોય તેમ) દૂધ દૂધ પી જશે અને પાત્રમાં પાણી પડ્યું રહેશે.
લોકોત્તર વિવેક પણ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારનો છે. ઘર મિલ્કત, સ્વજન પરિવાર, શરીર પરનો મોહ છોડી દેવો તે બાહ્ય વિવેક છે. પહેલાં રાગાદિ વિભાવ વગેરે ભાવકર્મથી આત્માને ભિન્ન કરવો અને પછી જ્ઞાનાવરણીય વગેરે દ્રવ્યકર્મોથી આત્માને ભિન્ન કરવો એ અત્યંતર વિવેક છે. આગમમાં તેનું સ્વરૂપ આ પ્રમાણે બતાવ્યું છેઃ
पुब्बिं रागाइया विभावा सव्वओ विभज्जिज्जा ।
पच्छा दव्वा कम्मा सव्व विभिन्नो निओ अप्पा ।। પૂિર્વે રાગાદિ વિભાવોથી સર્વથા આત્માને ભિન્ન કરવો, પછીથી દ્રવ્ય કર્મથી સર્વથા આત્મા ભિન્ન થાય છે.]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org