________________
૨૦૬
જ્ઞાનસાર
૧૫. વિવેકાષ્ટક [૧૧૩] વર્ષ નીવં ચ સંન્નિષ્ઠ સર્વદા ક્ષીરનીરવત્ ા
વિfમની યોસૌ મુનિર્દો વિવેકવીન્ાા ૨૫ III [શબ્દાર્થ : વર્મ-કર્મ, નીવં=જીવને; =અને; બ્લષ્ટ=મળેલાં, એક જેવાં થયેલાં; સર્વવા=હંમેશાં; ક્ષીરનીરવ =દૂધ અને પાણીની જેમ; વિમત્રી=વિભિન્ન, જુદાં; =કરે છે; :=જે; સૌ=આ, એ; મુનિહંસ:=મુનિરૂપી રાજહંસ; વિવેવીન=વિવેકવંત.].
અનુવાદ-દૂધ અને પાણીની જેમ હંમેશાં મળેલાં કર્મ અને જીવને જે મુનિરૂપી રાજહંસ વિભિન્ન કરે છે એ વિવેકવંત છે. (૧)
વિશેષાર્થ : વિવેક એટલે સાર અને અસારને જુદા પાડવાની શક્તિ. કેટલીક બહેનો (અને ભાઇઓ પણ) અનાજ વીણવામાં અત્યંત કુશળ હોય છે. તેમને વાર ઓછી લાગે છે અને કામ સરસ થાય છે. એમાં એમની વિવેકશક્તિ રહેલી છે. કેટલાક માણસોની દૃષ્ટિ બહુ ચકોર હોય છે. કેટલાક ઝવેરીઓ હીરા જેવા લાગતા કાચના ટુકડા અને સાચા હીરા એ બંને વચ્ચેનો ભેદ તરત પારખી લે છે. અરે, બનાવટી હીરા અને સાચા હીરા વચ્ચેનો ભેદ ઘરેણાં પહેરનાર નથી પારખી શકતા, પણ હોંશિયાર ઝવેરી હાથમાં લેતાંની સાથે કહી દે છે કે કયો હીરો સાચો છે અને કયો હીરો બનાવટી છે. આ એક સ્કૂલ, લૌકિક પ્રકારની વિવેકશક્તિ છે.
પણ નીરક્ષીરની જેમ રહેલાં કર્મો અને આત્મપ્રદેશોની વાત ઘણી જ કઠિન છે, કારણ કે એક ક્ષેત્રાવગાહે રહેલા કર્મપુદ્ગલો અને આત્મપ્રદેશોને છૂટાં પાડવાં અને એમાંથી કર્મયુગલોને ઊંચકીને બહાર જુદા કોઈ પાત્રમાં મૂકી શકાતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org