________________
૧૪. વિદ્યાષ્ટક
૨૦૫
પત્તેિ=જુએ છે; પરમાત્માનં–પરમાત્માને; ત્મિનિ=આત્મામાં, આત્માને વિશે; પર્વ=જ; હિ=વળી; યોનિઃ યોગીઓ.]
અનુવાદ-અવિદ્યારૂપી અંધકારનો નાશ થતાં, તત્ત્વબુદ્ધિરૂપ અંજનનો સ્પર્શ કરનારી દષ્ટિથી યોગીઓ પોતાના આત્મામાં જ પરમાત્માને જુએ છે. (૮).
વિશેષાર્થ અહીં યોગીઓની વાત કરવામાં આવી છે. યોગી મહાત્મા પોતાની તત્ત્વવિદ્યા વડે પોતાના આત્મામાં જ પરમાત્માનાં દર્શન કરે છે.
અહીં અંધકાર અને પ્રકાશ માટે રૂપક યોજવામાં આવ્યું છે. સૂર્યાસ્ત પછી સર્વત્ર અંધકાર છવાઈ જાય છે. અત્યંત ગાઢ અંધકારમાં માણસ સાવ નજીકનું પણ જોઈ શકતો નથી. આવા અંધકારમાં કૂતરું, બિલાડી વગેરે પશુઓ, ઘુવડ વગેરે પક્ષીઓ દૂર સુધી સ્પષ્ટ જોઈ શકે છે. કેટલાંક અંજન એવા પ્રકારનાં આવતાં હતાં કે જે આંજવામાં આવે તો માણસ અંધારામાં પણ જોઈ શકે.
મિથ્યાત્વ એ અંધકાર છે અને તત્ત્વવિદ્યા એ અંજન છે. સમ્યગુદૃષ્ટિ યોગી મહાત્માઓ આવા અંજન દ્વારા મિથ્યાત્વના અંધકારને ભેદી નાખે છે એટલું જ નહિ, પોતાના આત્મામાં પરમાત્મ-સ્વરૂપનાં દર્શન કરે છે.
અહીં મિથ્યાત્વથી પરમાત્મસ્વરૂપ સુધીના વિકાસનો નિર્દેશ છે. ઉપાધ્યાયજી મહારાજે આ “જ્ઞાનસાર'ની ટીકામાં ગુણસ્થાનકની દૃષ્ટિએ સમજાવતાં કહ્યું છે, બાહ્યાત્મા મિથ્યાજ્ઞાની પ્રથમ ગુણસ્થાનકે, અંતરાત્મા સમ્યગુદૃષ્ટિ ચોથા ગુણસ્થાનકથી માંડી બારમા ગુણસ્થાનક સુધી અને પરમાત્મા કેવળજ્ઞાની તેરમા અને ચૌદમા ગુણસ્થાનકે હોય છે.”
આમ, અવિદ્યાનો અર્થાત્ અજ્ઞાનરૂપી મિથ્યાત્વનો નાશ થતાં, સમ્યગુદૃષ્ટિરૂપી અંજન દ્વારા પોતાના અંતરાત્મામાં પરમાત્માનાં દર્શન થઈ શકે છે. માટે પરમાત્મસ્વરૂપને પ્રગટાવવાનો પુરુષાર્થ કરવો જોઇએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org