SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ જ્ઞાનસાર છે અને નજરે નિહાળી શકાય એવાં નથી. પુદ્ગલ પરમાણુ નજરે નિહાળી શકાતું નથી. પણ પુદ્ગલ સ્કંધ નજરે નિહાળી શકાય છે. જીવ અને પુદ્ગલ જ્યારે ઓતપ્રોત બને છે ત્યારે એવા દેહધારી જીવો નજરે નિહાળી શકાય છે. જીવોના જન્મમરણ, ગમનાગમન નજરે નિહાળી શકાય છે. જીવ એટલે કે આત્મા અને દેહરૂપી પુગલો એકબીજા સાથે નીરક્ષીરની જેમ રહેલાં છે. દૂધમાં પાણી જેમ જુદું જોઈ શકાતું નથી, તેમ દેહમાં રહેલો આત્મા જોઈ શકાતો નથી. દેહ અને આત્મા એક ક્ષેત્રાવગાહે અણુતણુની જેમ રહેલા છે. આમ છતાં તેઓ એકબીજામાં સંક્રમણ કરતા નથી, એટલે કે પ્રવેશી શકતા નથી, એકબીજાનું કાર્ય કરતા નથી કે એકબીજાના ગુણ ગ્રહણ કરતા નથી. પ્રત્યેક દ્રવ્ય સ્વસ્વરૂપે પરિણમે છે, અન્ય સ્વરૂપે નહિ. ચેતન એ આત્માનો ગુણ છે અને પૂરણ-ગલન એ પુદ્ગલનો ગુણ છે. એટલે પૂરણગલન ક્યારેય આત્માનો ગુણ બની શકે નહિ અને ચૈતન્ય ક્યારેય પુદ્ગલનો ગુણ બની શકે નહિ. આ તત્ત્વની વાત રસ્તે ચાલતા સામાન્ય જીવો સમજી શકે નહિ. દ્રવ્ય અને દ્રવ્ય વચ્ચેનો, ગુણ અને ગુણ વચ્ચેનો અને પર્યાય અને પર્યાય વચ્ચેનો ભેદ વિદ્યાવંત પંડિતો સમજી શકે છે અને અનુભવી શકે છે. સામાન્ય માણસો આવી વાત જ્યારે સાંભળે ત્યારે તેમને તે ચમત્કારભરેલી, આશ્ચર્યયુક્ત, ન સમજાય તેવી લાગે છે. જીવ અને પુગલનું ભેદજ્ઞાન થયા વિના વિવેક પ્રગટ થતો નથી અને વિવેક વગર શું હેય (ત્યજવા યોગ્ય) છે અને શું ઉપાદેય (ગ્રહણ કરવા યોગ્ય) છે તેની ખબર પડતી નથી. [૧૧૨]વિદ્યાતિમિર્ધ્વરે દ્રા વિદ્યાનસ્પૃશા | પતિ પરમાત્માનમાત્મચેવ દિ યોનિઃ II ૨૪ || ૮ || [શબ્દાર્થ ઃ અવિદ્યાતિમિર=અવિદ્યારૂપી અંધકાર; સ્વંસે નાશ થતાં; ર=દષ્ટિ વડે; વિદ્યાન્નનસ્પૃશ=વિદ્યા (તત્ત્વબુદ્ધિ) રૂપી અંજનનો સ્પર્શ કરનારી; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy