SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૧ ૨ જ્ઞાનસાર છે; માત્માડમેશ્વમ =આત્માના અભેદનો ભ્રમ; તત્વ=તેની જેમ; રેહાવો શરીર વગેરેમાં; વિવેનિ:=વિવેકરહિત, અવિવેકવાળો.] અનુવાદ-જેમ જેણે ઘતૂરો પીધો છે તે ઇંટ વગેરેને સુવર્ણરૂપે જુએ છે, તેની જેમ વિવેકરહિત માણસને દેહ વગેરેમાં આત્મા સાથે અભેદનો ભ્રમ થાય છે. (૫) વિશેષાર્થઃ અવિવેકને કારણે દૃષ્ટિમાં થતા વિપર્યાસ માટે અહીં બીજું એક દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે. ધતૂરાનાં પાન, ફૂલ અને ધતૂરાનાં બી ઝેરી અથવા માદક ગણાય છે. ધતૂરાના છોડને કે એનાં ફૂલને પશુઓ ચરતાં નથી, એટલું જ નહિ એ હોય ત્યાંથી આઘાં રહે છે. એટલા માટે ખેતરની વાડે ધતૂરા વાવેલા હોય છે. કોઈ માણસ ધતૂરાના રસનું પાન કરે તો એને નશો ચડે છે અને બધું સોનેરી દેખાય છે. એને ઇંટ બતાવવામાં આવે તો તે એને સોનાની ઇંટ જ લાગે છે. પણ આપણે જાણીએ છીએ કે એ નશાનો પ્રભાવ છે. સારાસાર વિવેકના અભાવનું એ કારણ છે. આવી જ રીતે અવિવેકને કારણે અજ્ઞાની જીવો દેહ એ જ આત્મા છે એવા ભ્રમમાં રહે છે. તે દેહનું હલનચલન જુએ છે એટલે દેહને જ ચેતન સ્વરૂપે માને છે. દેહ અને આત્મા, જડ અને ચેતન એક ક્ષેત્રાવગાહે નીરક્ષીરની જેમ રહેલા હોવાથી, દેહ અને આત્મતત્ત્વની વચ્ચે અભિન્નતા જ સમજે છે. વસ્તુતઃ પુદ્ગલસ્કંધો મૂર્ત છે અને આત્મા અમૂર્ત છે. પુદ્ગલના ગુણધર્મો જુદા છે અને આત્માના ગુણધર્મો જુદા છે એ અવિવેકી માણસ સમજી શકતો નથી, તેથી તે સંસારમાં પરિભ્રમણ કરે છે. [૧૧૮] રૂછન્ન પરમાન્ માવી વિવેaધ્ર: પતિત્ય: I પરમં ભાવમન્વિચ્છ નાવિવે નિમMતિ | ૨ || ૬ | [શબ્દાર્થ : ફુચ્છ=ઇચ્છતો; ન=નથી; પરમાન માવી=પરમ ભાવોને; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy