________________
આનંદઘનજી વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને અનુભવવૃદ્ધ હતા એટલે શ્રી આનંદઘનજીનાં દર્શન માટે શ્રી યશોવિજયજી અત્યંત ઉત્સુક હતા. જ્યારે તેમનું મિલન થયું ત્યારે શ્રી યશોવિજયજીને ઘણો આનંદ થયો હતો ઘટના એતિહાસિક અને નિર્વિવાદ છે. શ્રી યશોવિજયજીએ શ્રી આનંદઘનજીની સ્તુતિરૂપ રચેલી “અષ્ટપદી' તેના પુરાવારૂપ છે. એ અષ્ટપદીમાંની ‘જસવિજય કહે સુનો આનંદઘન, હમ તુમ મિલે હજુર', “જસ કહે સોહી આનંદઘન પાવત, અંતરજ્યોત જગાવે”, “આનંદ કી ગત આનંદઘન જાણે', “એસી દશા જબ પ્રગટે ચિત્ત અંતર', “સોહી આનંદઘન પિછાને', “એહી આજ આનંદ ભયો મેરે, તેરો મુખ નીરખ, રોમ રોમ શીતલ ભયો અંગો અંગ' ઇત્યાદિ પંક્તિઓ શ્રી યશોવિજયજીને શ્રી આનંદઘનજી માટે કેટલો બધો આદર હતો તે દર્શાવે છે. આનંદઘનજીનાં દર્શનનો પોતાના જીવન ઉપર કેટલો બધો પ્રભાવ પડ્યો છે તે નમ્રતાપૂર્વક દર્શાવતાં તેઓ લખે છેઃ
આનંદઘન કે સંગ સુજસહી મિલે જબ, તબ આનંદસમ ભયો સુજસ; પારસ સંગ લોહા જો ફરસત, કંચન હોત કી તાકે કસ.' ઉપાધ્યાયજી મહારાજને શ્રી આનંદઘનજી ક્યાં મળ્યા હશે, ક્યારે અને કેવી રીતે મળ્યા હશે તે વિશે નિશ્ચિતપણે આપણને કશું જાણવા મળતું નથી. દંતકથા એમ કહે છે કે શ્રી યશોવિજયજી આબુમડતા તરફ વિહાર કરતા હતા તે સમયે તેઓ સાધુઓમાં વિદ્વાન, શાસ્ત્રજ્ઞ અને બહુશ્રુત ગણાતા હતા. એમનાં વ્યાખ્યાનો સાંભળવા અનેક લોકો આવતા. બીજી બાજુ આનંદઘનજી પણ યોગ અને અધ્યાત્મવિદ્યામાં પણ ઊંડા ઊતર્યા હતા. તેઓ આબુ-મેડતાની આસપાસના પ્રદેશમાં એકાંતમાં વિચરે છે એમ જાણી શ્રી યશોવિજયજી તેમને મળવા માટે તપાસ કરતાં રહેતા હતા. બીજી બાજુ શ્રી યશોવિજયજીની બહુશ્રુતતાની વાત શ્રી આનંદઘનજીએ પણ સાંભળી હતી. તેઓ આસપાસના પ્રદેશમાં આવ્યા છે એમ જાણીને શ્રી આનંદઘનજી પણ તેમને મળવા ઉત્સુક થયા હતા. એક દિવસ શ્રી યશોવિજયજી ઉપાશ્રયમાં વ્યાખ્યાન આપતા હતા ત્યારે તે સાંભળવા માટે આસપાસના પ્રદેશમાંથી આવીને બેઠેલા સાધુઓના સમુદાયમાં જીર્ણ વેશધારી
34
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org