________________
ગૃહસ્થનો શાસ્ત્રરસ સંવત ૧૭૨૨નું ચાતુર્માસ ઉપાધ્યાયજી મહારાજે સુરતમાં કર્યું હતું. એ ચાતુર્માસ દરમિયાન એમણે બે મહત્ત્વની સઝાયની રચના કરી છે : (૧) પ્રતિક્રમણ હતુગર્ભિત સક્ઝાય અને (૨) અગિયાર અંગની સઝાય. સુરતમાં એ રીતે એમને અને અધ્યાત્મરસિક શ્રાવકોને સ્વાધ્યાયની સારી તક મળી હશે એમ લાગે છે. શ્રી યશોવિજયજીની કૃતિઓના અંતભાગમાં ગૃહસ્થોનાં નામોનો ઉલ્લેખ ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ અગિયાર અંગની સઝાયમાં રૂપચંદભાઈ, માણિક શ્રાવિકા વગેરેએ “સાંભલ્યાં વિધિસ્ય અંગ ઇગ્યાર' એવો ઉલ્લેખ થયો છે. તે ઉપરથી જણાય છે કે તે સમયે એમના જેવા શાસ્ત્રજ્ઞ પાસેથી અગિયાર અંગ સાંભળવાની પાત્રતા ધરાવનાર શાસ્ત્રરસિક ગૃહસ્થો સુરતમાં હશે !
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના ગૃહસ્થ વિદ્યાગુરુ વિશે નીચે પ્રમાણે એક દંતકથા પણ પ્રચલિત છેઃ એક વખત શ્રી યશોવિજયજી મહારાજ ખંભાતમાં પધાર્યા હતા. એક દિવસ તેઓ ઉપાશ્રયમાં જ્યારે વ્યાખ્યાન આપી રહ્યા હતા તે વખતે ત્યાં કોઈ એક વયોવૃદ્ધ સજ્જન આવ્યા અને સભાને છેડે વ્યાખ્યાન સાંભળવા બેસી ગયા. મહારાજની તેના પર નજર પડી, એથી તેમને ઘણું આશ્ચર્ય થયું. કારણ કે એ સજ્જન તે એમના વિદ્યાગુરુ ભટ્ટાચાર્ય હતા. તેમણે તે સજ્જનને વંદન કર્યું, એથી સૌ તે વૃદ્ધ સજ્જન તરફ કૌતુકથી જોવા લાગ્યા અને ઉપાધ્યાયજી મહારાજ સાહેબ જેમને વંદન કરે છે તે વ્યક્તિ કોણ હશે તે તર્ક કરવા લાગ્યા. તે સમયે ઉપાધ્યાયજી મહારાજે કહ્યું કે, “આ એ વ્યક્તિ છે કે જેની પાસે કાશીમાં મેં નવ્ય ન્યાયનું અધ્યયન કર્યું છે. મારા એ વિદ્યાગુરુ છે. એમનો હું અત્યંત ઋણી છું. તમારે એનો યોગ્ય સત્કાર કરવો જોઈએ.’ એ સાંભળી ખંભાતના શ્રી સંઘે તરત રૂપિયા સત્તર હજારની રકમ એકઠી કરી અને તે બ્રાહ્મણ પંડિતને ગુરુદક્ષિણામાં આપી. પોતાના શિષ્યનો આવો પ્રભાવ જોઈ હર્ષ પામી વિદ્યાગુરુએ વિદાય લીધી.
શ્રી આનંદઘનજી અને શ્રી યશોવિજયજી શ્રી યશોવિજયજી મહારાજ અને શ્રી આનંદઘનજી મહારાજ સમકાલીન હતા.
(33
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org