________________
૩૨. સર્વનયાશ્રયણાષ્ટક
૪૩૧
[૫૪] પ્રાણિત નનાનાં વૈમત સર્વનયશ્રતમ્
ચિત્તે પરિપતં વેતં યેષાં તેગો નમોનમ: રૂ ૨ાાદા [શબ્દાર્થ : પ્રાણિતંત્રપ્રકાશિત કર્યું છે; નનાનાં=લોકોને; =જેઓએ, જેઓ દ્વારા; માઁ=મત, પ્રવચન; સર્વનાશ્રિત=સર્વ નિયોનો આશ્રય કરીને; ચિત્તે ચિત્તમાં; પરિણતંત્રપરિણમેલું; =અને; વં=આ; યેષાં=જેઓના; તેમ્ય =તેઓને; નમોનમ:=વારંવાર નમસ્કાર હો.]
અનુવાદઃ જેઓ દ્વારા લોકોને માટે સર્વનયાશ્રિત આ મત (પ્રવચન) પ્રકાશિત કરવામાં આવ્યો છે અને જેમના ચિત્તમાં આ પરિણમેલું છે તેઓને વારંવાર નમસ્કાર હો ! (૬). વિશેષાર્થ : આપણને તત્ત્વ-સિદ્ધાન્તનો કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો આપણે એવા જ્ઞાની પાસે જઈને પૂછીએ, કે જે આપણને સંતોષકારક જવાબ આપે અને આપણે નિઃસંશય થઈએ. આવો ઉત્તર તેઓ જ આપી શકે કે જેમની પાસે કંઈક શાસ્ત્રજ્ઞાન હોય. તદુપરાંત અન્ય ધર્મના શાસ્ત્રોનો પણ તેમને સારો પરિચય હોય. દુનિયાદારીનું પણ તેમને જ્ઞાન હોય, વળી એમની પાસે સારી તર્કશક્તિ હોય. મનુષ્યની પ્રકૃતિના તેઓ અભ્યાસી હોય. આવી વ્યક્તિ પણ ચારિત્રશીલ હોવી જોઈએ. પોતાના જ્ઞાનના બદલામાં એમને કશું જોઈતું ન હોવું જોઈએ. નામના કે યશકીર્તિની પણ તેમને દરકાર ન હોય તો એવી વ્યક્તિ પાસે આપણને વારંવાર દોડી જવાનું મન થાય. લોકોને તેમને માટે આદર હોય અને બધા લોકો તેમના નામની જ ભલામણ કરતા હોય. આવી ચારિત્રશીલ વ્યક્તિને “બહુશ્રુત' કહેવામાં આવે છે.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ અહીંપૂર્વે થઈ ગયેલા એવા મહાત્માઓને નમસ્કાર કર્યા છે. તીર્થકર ભગવાન મહાવીર સ્વામીએ ગણધર ભગવંતોને આપેલો ઉપદેશ કેટલો જ્ઞાનપૂત અને કરુણાસભર છે ! એમની પાટપરંપરામાં થઈ ગયેલા શ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org