SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૨ જ્ઞાનસાર શäભવસૂરિ, શ્રી ભદ્રબાહુસ્વામી, શ્રી સિદ્ધસેન દિવાકર., શ્રી જિનભદ્રગણિ, શ્રી હરિભદ્રસૂરિ, શ્રી શીલાંકાચાર્ય, શ્રી અભયદેવસૂરિ, શ્રી હેમચન્દ્રાચાર્ય અને ખુદ શ્રી યશોવિજયજી મહારાજ. તેવી જ રીતે શ્રી કુંદકુંદાચાર્ય, શ્રી અમૃતચંદ્રાચાર્ય, શ્રી પુષ્પદંત મહારાજ, શ્રી સમંતભદ્ર, શ્રી નેમિનાથ સિદ્ધાન્તચક્રવર્તી વગેરે કેટલા બધા મહાત્માઓ થઈ ગયા કે જેઓએ આપણને શ્રુતસાહિત્યનો અમૂલ્ય વારસો આપ્યો છે! બધાનાં નામ લેવા જઈએ તો પાર ન આવે. તે સર્વને આપણા વારંવાર નમસ્કાર હો ! ભગવાન મહાવીર સ્વામી પછી જૈન શાસનમાં કેટલા બધા મહાત્માઓ થઈ ગયા. આપણે જેમને પૂજ્ય ગણીએ તેઓ એમની પૂર્વેના કોઈકને પૂજ્ય ગણતા હોય અને તે વળી પૂર્વેના બીજાને પૂજ્ય ગણતા હોય. આમ બહુશ્રુત પૂજ્યોની પરંપરા ચાલી આવે છે. “ભવ ભાવના'માં કહ્યું છેઃ ते पुज्जा तिअलोए सव्वत्थ वि जाण निम्मलं नाणं । पुज्जाण वि पुज्जयरा नाणी चरित जुत्ता य॥ જિઓનું જ્ઞાન સર્વત્ર નિર્મળ છે એવા તથા પૂજ્ય પુરુષોને માટે પણ જે પૂજ્ય છે એવા ચારિત્રયુક્ત જ્ઞાની ત્રણ લોકમાં પૂજ્ય છે.] भदं वहुसुयाणं वहुजणसंदेह पुच्छणिज्जाणं। उज्जोइअभुवणाणं झिणमि वि केवलमयंके । [કેવળજ્ઞાન રૂપી ચંદ્ર અસ્ત થયે જેમણે જગતને પ્રકાશિત કર્યું છે અને ઘણા માણસોના સંશયો જેમને પૂછી શકાય છે એવા બહુશ્રુતોનું કલ્યાણ થાઓ.] [૨૫૫.]નિશ્ચયે વ્યવહારે ર ત્યવસ્વ જ્ઞાને ર ળ ! एकपाक्षिक विश्लेषमारूढाः शुद्धभूमिकाम् ।।३२।।७।। [શબ્દાર્થ : નિશ=નિશ્ચય નયમાં; વ્યવદારે વ્યવહાર નયમાં; ઘ=અને; ત્યક્વEછોડીને; જ્ઞાને=જ્ઞાન નયમાં; વ=અને; f=ક્રિયાનયમાં; પક્ષ વિજોષ=એક પક્ષમાં રહેલા વિશ્લેષ (ભ્રાન્તિના સ્થાન) ને; મારૂઢાં =ચઢેલા; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy