SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨. સર્વનયાશ્રયણાષ્ટક શુદ્ધભૂમિાં=શુદ્ધ ભૂમિકા ઉપર.] અનુવાદઃ નિશ્ચયનયમાં કે વ્યવહારનયમાં, જ્ઞાનનયમાં કે ક્રિયાનયમાં, કોઈપણ એક પક્ષમાં રહેલા ભ્રાન્તિના સ્થાનને છોડીને શુદ્ધ ભૂમિકા ઉપર ચઢેલા-(૭) વિશેષાર્થ : શ્લોક ૭ અને ૮ ના વિશેષાર્થ સાથે આપ્યા છે. [૨૫૬] સમૂદનશ્યા: સર્વત્ર પક્ષપાતવિર્દ્રિતા: 1 નયન્તિ પરમાનન્દ્રમયા: સર્વનયાશ્રયાઃ ।।રૂ૨૫૮૫ [શબ્દાર્થ : અમૂઢતક્ષ્યા:-લક્ષ ન ચૂકે એવા; સર્વત્ર=સર્વત્ર, બધે; પક્ષપાતવિવર્ધિતા:= પક્ષપાતરહિત; નયન્તિ=જય પામે છે, જયવંતા વર્તે છે; પરમાનન્દ્રમયા:= પરમાનંદમય; સર્વનયાશ્રયા:=સર્વ નયના આશ્રયભૂત.] ૪૩૩ અનુવાદઃ લક્ષ ન ચૂકે એવા, સર્વત્ર (સર્વ ભૂમિકામાં) પક્ષપાતરહિત, પરમ આનંદમય, સર્વ નયોનો આશ્રય કરનારા (જ્ઞાનીઓ) જયવંતા વર્તે છે. (૮) Jain Education International વિશેષાર્થ : આ ‘જ્ઞાનસાર’ અષ્ટકમાં છેલ્લા ‘સર્વનયાશ્રય’ નામના અષ્ટકના અંતે ઉપાધ્યાયજી મહારાજ મુનિ મહાત્માને ભલામણ કરતાં કહે છે કે જેઓને સાચા જ્ઞાની થવું હોય તેઓએ સર્વ નયોનો આશ્રય લેવો જોઈએ. સંસારના અવલોકનથી, શાસ્ત્રાભ્યાસથી, આંતર અવલોકનથી અને ધ્યાનાભ્યાસથી એવી દૃષ્ટિ ખીલે છે અને રહસ્યો એવાં ખૂલે છે કે એમને સર્વત્ર સંવાદ દેખાય છે. સંસારમાં પરાપૂર્વથી નિશ્ચય અને વ્યવહાર વચ્ચે, જ્ઞાન અને ક્રિયા વચ્ચે, નિમિત્ત અને ઉપાદાન વચ્ચે વિવાદ ચાલતા આવ્યા છે. પરંતુ આટલું અવશ્ય લક્ષમાં રહેવું જોઈએ કે કોઈ એક નય જેમ સર્વાંશે ખોટો નથી તેમ સર્વાંશે સાચો નથી. દરેક નય પોતપોતાના સ્થાને યોગ્ય છે. જ્ઞાનીએ અનેકાન્તદૃષ્ટિ કેળવવી જોઈએ. માત્ર નિશ્ચયનય કે માત્ર વ્યવહારનય, માત્ર જ્ઞાન પક્ષ કે માત્ર ક્રિયાપક્ષ એવા એકાન્તના આગ્રહમાં ભ્રમ છે, મિથ્યાત્વ છે, જ્ઞાનીએ એવા મિથ્યાત્વમાં ન અટવાવું જોઈએ. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy