________________
૪૩૪
જ્ઞાની પૂર્વગ્રહરહિત, પક્ષપાતરહિત મધ્યસ્થ દૃષ્ટિ ધરાવે છે. એટલે જ તેઓ સમતાવાળા હોય છે અને હંમેશા આનંદમાં–પરમાનંદમાં જ હોય છે. તેઓ શુદ્ધ ભૂમિકા ઉપર આરૂઢ થયેલા હોય છે. તેમના ચિત્તમાં ક્યારેય કલેશ હોતો નથી. કોઈ વાત માટે તેમનો દુરાગ્રહ હોતો નથી. પોતાનું લક્ષ એટલે કે અંતિમ ધ્યેય હંમેશાં તેમની નજર સમક્ષ હોય છે. એમ કરવાથી એમનું સમ્યગ્દર્શન વધુ નિર્મળ થાય છે. નય અને પ્રમાણથી તેઓ વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણે છે, સમજે છે તેમને કોઈની સાથે વાદ કે કલહ વગેરે હોતાં નથી, પણ કોઈ તેમની સાથે તેમ કરવા આવે તો તેઓ તો પૂરી સમતાપૂર્વક વ્યવહાર કરતા હોય છે.
આવી રીતે સર્વનયોનો આશ્રય ક૨ના૨, પરમાનંદમય જ્ઞાની મહાત્મા જયવંતા વર્તે છે.
Jain Education International
܀܀
જ્ઞાનસાર
For Personal & Private Use Only
www.jainelibrary.org