________________
૪૩૦
જ્ઞાનસાર
[તત્ત્વદર્શીઓએ શુષ્કવાદ, વિવાદ અને ધર્મવાદ એમ ત્રણ પ્રકારના વાદ કહ્યા
| શ્રી ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે “સર્વ નયને જાણનારાને તત્ત્વજ્ઞાનનો અર્થી પૂછે અને તત્ત્વજ્ઞ કહે તે ધર્મવાદથી ઘણું કલ્યાણ થાય છે.”
સર્વ નિયોનો જ્ઞાતા મધ્યસ્થી હોય છે. તે જ્યારે ધર્મચર્ચા કરે ત્યારે સામેવાળો એટલે કે પ્રતિપક્ષી દુશ્મન કે વૈરી કે અજ્ઞાની છે એમ ન માને, પણ જિજ્ઞાસુ છે એમ સમજે અને પોતે જ્યારે વાદ કરે ત્યારે બીજાને હરાવવાના આશયથી ન બોલે, પણ પ્રેમપૂર્વક આનંદથી સમજાવવાના હેતુથી બોલે. એથી પ્રતિપક્ષી હારે તો એને ખટકે નહિ અને વાદી જ્ઞાનીની વાત સમજવા પ્રયત્ન કરે. એમાં વક્તાની કહેવાની રીત રસિક હોય છે અને શ્રોતાની ગ્રહણ કરવાની રીત પણ ભાવવાળી હોય છે. આથી બંનેનું કલ્યાણ હોય છે.
શુષ્કવાદ એટલે ખોટી મગજમારી. એથી કશું સારું પરિણામ ન આવે. માત્ર કંઠશોષ થાય. એમાં નરી શુષ્કતા હોય. શાસ્ત્રકારોએ કહ્યું છે કે અભિમાની, ક્રૂર, ધર્મષી અને અજ્ઞાની સાથે વાદ ન કરવો. જ્યાં પોતાના મતનો જ હઠાગ્રહ હોય, ખોટી તર્કબાજી હોય, જ્ઞાનપ્રાપ્તિ નહિ પણ પરાજિત કરવાની વૃત્તિ હોય એવા શુષ્કવાદથી કોઈનું કલ્યાણ થતું નથી.
ધનસંપત્તિ, યશકીર્તિ ઇત્યાદિ મેળવવાના આશયથી વાદ કરવો તેને વિવાદ કહે છે. આવા વિવાદોમાં કુતર્ક, પ્રતિપક્ષીને પરાજિત કરવાનો ભાવ હોય છે. અસમાન વ્યક્તિઓ વચ્ચે જ્યારે વિવાદ થાય ત્યારે અન્યાય, માનહાનિ, ગાળાગાળી થાય છે. એથી કોઇનું ભલું થતું નથી. મનુસ્મૃતિમાં કહ્યું છે કે રાજપુરોહિત, અતિથિ, આશ્રિત, બાળક, વૃદ્ધ, રોગી, જમાઈ, સાળો, નોકરચાકર વગેરે સાથે વિવાદ કરવો નહિ. એથી એકબીજાની આમન્યા જળવાતી નથી.
ધર્મવાદ, શુષ્કવાદ અને વિવાદમાંથી એ ત્રણમાંથી યથાર્થ અને પરસ્પર હિતકારી વાદ તે ધર્મવાદ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org