________________
૪ ૨૯
૩૨. સર્વનયાશ્રયણાષ્ટક [૨૫૩] શ્રેયઃ સર્વનયજ્ઞાન વિષ્ણુનં ઘર્મવાદd: I
शुष्कवादाद् विवादाच्च परेषां तु विपर्ययः ।।३२ ।।५।। [શબ્દાર્થ : શ્રેય:=કલ્યાણ; સર્વનયજ્ઞાન=સર્વ નયોને જાણનારાઓનું; વિપુ=વિપુલ, ઘણું; ધર્મવીવત:=ધર્મવાદથી; શુષ્ક વીવી=શુષ્ક વાદથી; વિવાવા=વિવાદથી; =અને; પરેષાં=બીજાઓનું; તુ-તો; વિપર્યયઃ=વિપર્યય, વિપરીત (અકલ્યાણ).]
અનુવાદઃ સર્વ નયના જાણનારાઓનું ધર્મવાદથી બહુ કલ્યાણ થાય છે. શુષ્કવાદથી અને વિવાદથી બીજાઓનું (એકાન્તદષ્ટિવાળાઓનું) તો એથી ઊલટું થાય છે (અકલ્યાણ થાય છે.) (૫)
વિશેષાર્થ : વાદના પ્રકારો કેવા છે, કેટલા છે અને એથી શું લાભાલાભ થાય છે તેનો સંક્ષેપમાં અહીં નિર્દેશ કરવામાં આવ્યો છે.
વાદ શબ્દ સંસ્કૃત વત્ ઉપરથી આવ્યો છે. વ એટલે નાદ અથવા અવાજ. એના ઉપરથી બોલવું, વાતચીત કરવી ઇત્યાદિ અર્થો થાય છે. “વાદશબ્દના પણ ઘણા અર્થ થાય છે જેમ કે વાર્તાલાપ, નિવેદન કરનાર, સમજૂતી, ખુલાસો વગેરે.
બે પક્ષ વચ્ચે ચર્ચા થાય ત્યારે એને વિવાદ કહેવામાં આવે છે. ઉગ્ર ચર્ચા માટે વાદવિવાદ' શબ્દ પ્રયોજાય છે.
વાદથી તર્કશક્તિ વધે છે, જ્ઞાન વધે છે. વાદથી વિષયની છણાવટ સારી થાય છે અને તથ્ય બહાર આવે છે. એટલે જ કહેવાયું છે કે વાદ્દે વાદ્દે નાતે તત્તવો : I
પ્રાચીન સમયથી વાદ-વિવાદ થતા આવ્યા છે. આવા ઘણા બધા વાદ પ્રાચીન સમયમાં હતા. વાદોનું વર્ગીકરણ જુદી જુદી રીતે થયું છે. શ્રી હરિભદ્રસૂરિજીએ વાદાષ્ટક'માં વાદના ત્રણ મુખ્ય પ્રકાર બતાવ્યા છે; ધર્મવાદ, શુષ્કવાદ અને વિવાદ.
शुष्कवादो विवादश्च धर्मवादस्तथापरः । कीर्तितस्त्रिविधावाद इत्येवं तत्त्वदर्शिभिः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org