SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ૨૮ જ્ઞાનસાર ધરાવે છે. આ માન્યતાઓ તેઓના જીવનમાં દઢ રીતે વણાઈ ગઈ હોય છે અને ઘણાને બીજી માન્યતાઓ અંગે વિચાર કરવાનો અવકાશ મળ્યો હોતો નથી. પરિણામે તેમની વિચારધારા એકાંગીણ અને અત્યંત સંકુચિત હોય છે. એથી પોતે સાચા અને બીજા ખોટા એવો ભાવ તેમને રહે છે. કેટલાક લોકો સમાજના સંકુચિત સ્તરથી ઊંચા ઊઠી અન્ય ધર્મનાં વિચારો અને માન્યતાઓને સમજવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરે છે ત્યારે એમની દૃષ્ટિ વિશાળ બને છે, જે મહાત્માઓએ ધર્મ અને તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે જુદા જુદા મત વિશે ઊંડું અધ્યયન અને મનન ચિંતન કર્યું હોય છે એમની દૃષ્ટિ પોતાના જ ધર્મ–મતની આગ્રહી નથી હોતી, પણ ઉદાર અને મધ્યસ્થ હોય છે. આથી તેઓ જ્યાં જાય ત્યાં બધું પોતાનું જ હોય એવું તેમને લાગે છે અને તેઓ બધાના આદરને પાત્ર બને છે. તેઓ સર્વના થઈને રહે છે. તેમનામાં લોકોને રાજી રાખીને કે એમની ખુશામત કરીને મોટા થવાની લાલસા નથી હોતી. આવા ઉદાર દૃષ્ટિવાળા જ્ઞાની મહાત્મા નિરભિમાની હોય એ સ્વાભાવિક છે. તેઓ સ્વ-પ૨ હિતને સારી રીતે સમજે છે. તેમનામાં અનુગ્રહબુદ્ધિ હોય છે, બીજાને સન્માર્ગે વાળવાની તેમનામાં સહજ ઉપકારબુદ્ધિ હોય છે. તેઓમાં કોઈ લોકેષણા હોતી નથી. પોતાના પક્ષમાં પણ જે કંઈ ક્ષતિ હોય તો તે સ્વીકારવાની તત્પરતા તેઓ બતાવે છે. બીજા પોતાનો મત ન સ્વીકારે તો પણ મધ્યસ્થ ભાવ તેઓ રાખે છે. બીજી બાજુ જેઓ પોતાના મતના જ એકાંત આગ્રહી બને છે તેમનામાં અહંકારબુદ્ધિ કુદરતી રીતે જ આવે છે. બે પક્ષના બે અહંકારી વિવાદે ચડે છે ત્યારે સામસામા અથડાય છે. એમનો વિવાદ કલેશ-કલહમાં પરિણમે છે. ક્યારેક મારામારી પણ થાય છે. સંસારમાં મતાગ્રહી અને વિવાદ કરીને પીડા ઉત્પન્ન કરનારા ઘણા હોય છે. નયસંકુચિતતાનો પરિહાર કરી, સમતાનો સ્વીકાર કરી આનંદ પ્રસરાવનારા ઉદારદિલ જ્ઞાની મહાત્મા અલ્પ સંખ્યામાં રહેવાના. પરંતુ અંતે વિજય એમનો જ હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy