________________
૩૨. સર્વનયાશ્રયણાષ્ટક
૪૨ ૭
[જેણે શ્રુતસિદ્ધાન્તનું રહસ્ય જાણ્યું નથી અને કેવળ સૂત્રના અક્ષરને અનુસરી ચાલે છે તેનું સર્વ ઉદ્યમ વડે કરેલું ક્રિયાનુષ્ઠાન ઘણું અજ્ઞાન તપમાં આવે છે.].
વળી, સ્વ-સિદ્ધાન્તનું વચન પણ અનુયોગથી યોજેલું ન હોય તો તે અપ્રમાણ છે. 'આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છેઃ
सुत्तत्थो खलु षढमो वीओ निज्जुत्तिमीसओ भाणिओ।
तइओ अणिरवसेसो एस विही होइ अणुओगे। [પ્રથમ સૂત્રનો અર્થ, બીજો નિયુક્તિ સહિત અર્થ અને ત્રીજો પ્રસંગાનુપ્રસંગથી સમગ્ર અર્થ-એ પ્રમાણે અનુયોગ સૂત્રના વ્યાખ્યાનને વિશે વિધિ કહ્યો છે.]
આ રીતે કોઈ શાસ્ત્રવચનને જાણવું હોય તો તે કઈ અપેક્ષાથી કહેવાયું છે તે પણ બરાબર જાણવું જોઈએ. આાવાદના જ્ઞાનમાં ઉપયોગી એવું સર્વ નયોનું જ્ઞાન સાધકોએ પ્રાપ્ત કરવું જોઈએ. એથી રાગદ્વેષ ઘટે છે અને સમતા તથા શાન્તિનું સુખ અનુભવાય છે. [૫૨] નો સર્વનયજ્ઞાનાં તટä વાડણનુઘઉં !
स्यात् पृथग्नयमूढानां स्मयार्तिर्वाऽतिविग्रहः ।।३२।।४।। [શબ્દાર્થ ઃ નોવેલ લોકમાં સર્વનયજ્ઞાન=સર્વ નયોને જાણનારને; તાટૐ= તટસ્થતા, મધ્યસ્થપણું; વી=અથવા; પિકપણ; અનુય:=અનુગ્રહ, ઉપકારબુદ્ધિ, કૃપાદૃષ્ટિ; ચા=હોય; પૃથ=જુદા જુદા; નયમૂઠાનાં=નયોમાં મૂઢ થયેલાને; સ્મય અભિમાન; ગર્તિ =પીડા; વા=અથવા; તિવિહિં: અત્યંત કલેશ.]
અનુવાદઃ લોકમાં સર્વ નયોના જાણનારને તટસ્થપણું અથવા ઉપકારબુદ્ધિ (અનુગ્રહ) હોય છે. જુદા જુદા નયમાં મૂઢ થયેલાને અહંકારની પીડા અથવા અત્યંત કલેશ હોય છે. (૪)
વિશેષાર્થ : એકંદરે સમાજમાં જૈન, બૌદ્ધ, હિંદુ, ઇસ્લામ, શીખ, ઇસાઇ વગેરે ધર્મના માણસો પોતાનો જ્યાં જન્મ અને ઉછેર થયો હોય તે પ્રકારની માન્યતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org