________________
૪૨ ૬
જ્ઞાનસાર
વિશેષિતં=વિશેષ સહિત હોય; પ્રમાઈ=પ્રમાણ; થાત્ =છે; તિ=એ પ્રમાણે; સર્વનયજ્ઞતા=સર્વ નયોનું જ્ઞાન]
અનુવાદઃ બધાંય (વચન) અવિશેષિત હોય તો અપ્રમાણ નથી અથવા પ્રમાણ પણ નથી. વિશેષિત હોય તો તે પ્રમાણ છે. આ રીતે સર્વ નયોનું (જ્ઞાનીઓને) જ્ઞાન હોય છે. (૩) વિશેષાર્થ જૈન દર્શનના એક મહત્ત્વના સિદ્ધાન્તની અહીં વાત કરવામાં આવી છે. નયવાદને સમજવા માટે એ ચાવીરૂપ છે. કોઈપણ શાસ્ત્રવચન પ્રમાણભૂત છે કે નહિ તે નિશ્ચિત કરવાની આ પદ્ધતિ છે.
અહીં વિશેષિત અને અવિશેષિત વિશે કહેવામાં આવ્યું છે. વિશેષિત એટલે વિષય પરિશોધક નયથી યોજિત. એનાથી વિપરીત તે અવિશેષિત. સંક્ષેપમાં વિશેષિત એટલે વિશેષ સહિત અર્થાત્ સાપેક્ષ. અવિશેષિત એટલે વિશેષ રહિત અર્થાત્ નિરપેક્ષ.
સર્વ વચન વિશેષ રહિત હોય તો એકાન્ત પ્રમાણ નથી અને એકાત્તે અપ્રમાણ પણ નથી. જો વચન વિશેષ સહિત હોય તો તે પ્રમાણ છે. અન્ય સિદ્ધાન્તમાં રહેલું સવચન વિશેષ સહિત હોય તો તે પ્રમાણ છે. તેવી જ રીતે સ્વસિદ્ધાન્તનું વચન પણ જો વિશેષરહિત હોય તો તે અપ્રમાણ છે.
કોઈ પણ વચનને એની અપેક્ષાથી જોવામાં આવે તો તે પોતાનું રહસ્ય ખોલે છે. કેવળ અક્ષર અને શબ્દ પ્રમાણે અર્થ બેસાડી દેવામાં આવે તો તે માત્ર એનો વાચ્યાર્થ છે. પરંતુ વાર્થ ઉપરાંત લક્ષણાથી એનો શો અર્થ થાય છે અને ધ્વનિથી એનો શો અર્થ થાય છે તે પણ વિચારવું જોઇએ. આ તો સામાન્ય વાત થઈ, પણ નયવાદમાં તો એથી પણ ઘણું વિશેષ છે. એટલે જ “ઉપદેશમાલા'માં ધર્મદાસગણિએ કહ્યું છેઃ
अपरिच्छियसुयनिहसस्स केवलमभिन्नसुत्तचारिस्स। सव्वुज्जमेण वि कयं अन्नाण तवे वहुं पडई ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org