________________
૨૩. લોકસંજ્ઞાત્યાગાષ્ટક
૩ ૧૫
પ્રમાણપત્ર કેટલીક વાર ભ્રામક નીવડે છે.
આત્મસાક્ષીએ જ ધર્મ કરવાને કારણે ક્યારેક સહજ રીતે લોકપ્રશંસા પ્રાપ્ત થાય એ જુદી વાત છે. પણ લક્ષ્ય લોકચાહનાનું નહિ, પણ આત્મસાક્ષીએ ધર્મનું, મોક્ષપ્રાપ્તિનું જ રહેવું જોઈએ. ઉપાધ્યાયજી મહારાજે જ કહ્યું છે:
જિમ જિમ બહુ મત, બહુ જન સંમત, બહુ શિષ્ય પરવરિયો,
તિમ તિમ જિન શાસનનો વેરી, જો નવિ નિશ્ચય દરિયો. [૧૮૪] નોર્સફોષ્ઠિાત: સાધુ: પરબ્રહ્મસમાધિમાર્ ા
सुखमास्ते गतद्रोहममतामत्सरज्वरः ।।२३।।८।। [શબ્દાર્થ : સોવíજ્ઞાજ્જિત:=લોકસંજ્ઞાથી રહિત; સાધુ =સાધુ, મુનિ, પરબ્રહમયમા=પરબ્રહ્મમાં સમાધિવાળા; સુવાર્ત=સુવ+માતે સુખમાં હોય છે, રહે છે; તદ્રોહમમતાત્મિરક્વર:=દ્રોહ, મમતા, મત્સરરૂપી જ્વર જેમના ગયા છે એવા.].
અનુવાદઃ લોકસંજ્ઞાથી મુક્ત, પરબ્રહ્મમાં સમાધિવાળા, અને જેમના દ્રોહ, મમતા અને મત્સરરૂપી જ્વર ગયા છે એવા મુનિ સુખે રહે છે. (૮) વિશેષાર્થ : જે મુનિ મહાત્માઓ લોકસંજ્ઞાથી રહિત હોય છે તેઓ સાચું સુખ અનુભવે છે. જેઓની લોકસંજ્ઞા ચાલી જાય છે તેઓને પછી મમતા પીડતી નથી. અહં–હું અને મમ-મારુંનો ભાવ રહેતો નથી. વ્યક્તિ, પદાર્થો વગેરે માટેની આસક્તિ નીકળી જાય છે. તેઓને દ્રોહ કરવાની, સાધુના વેશને વટાવી ખાવાની, જિનેશ્વર ભગવાનની આજ્ઞાનો ભંગ કરવાની, કોઈના વિશ્વાસનો ઘાત કરવાની, કોઈના પર અપકાર કરવાની વૃત્તિ રહેતી નથી. કોઈના ગુણનો દ્વેષ કરવાની, મત્સરની, અસૂયાની વૃત્તિ પણ ચાલી જાય છે. મૈત્રી, પ્રમોદ, માધ્યસ્થ અને કરુણાની ભાવનાથી એમનું જીવન સભર હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org