________________
૩૧૪
જ્ઞાનસાર
મનમાં જ યુદ્ધ આરંભાયું. હિંસાનાં ઘોર પરિણામ મનમાં ચાલવા લાગ્યાં. સાતમી નરકમાં જાય એવાં ભારે કર્મ બંધાવા લાગ્યાં. આમ બાહ્ય દૃષ્ટિએ કાઉસગ્ગ ધ્યાને રહેલા પ્રસન્નચંદ્ર રાજર્ષિ તે ક્ષણે દેહ છોડે તો સાતમી નરકે જાય. જો કે પછી તત્પણ તેઓ પોતાની આત્મદશાનું ભાન થતાં મનમાં ભારે પશ્ચાત્તાપ કરી શુભ ધ્યાનમાં આવી ગયા અને પછી એવા અંતરંગ પુરુષાર્થપૂર્વક શુકલધ્યાનની શ્રેણીએ ચડ્યા કે તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.
બીજી બાજુ ભરત મહારાજા ચક્રવર્તીનું દૃષ્ટાન્ત જોઈએ. તેઓ શ્રેષ્ઠ વસ્ત્રાભૂષણ ધારણ કરી અરીસા ભવનના અરીસામાં પોતાના રૂપને મુગ્ધતાથી નિહાળતા હતા. એવામાં એક આંગળીમાંથી રત્નજડિત વીંટી નીકળી ગઈ. આંગળીની શોભા ચાલી ગઈ. તેઓ વિચારમાં પડી ગયા. બીજા અલંકારો શરીર પરથી ઉતારતાં જણાયું કે પોતાના દેહની શોભા તો પરવસ્તુથી છે, પૌગલિક અલંકારોથી છે. ચૈતન્યની શોભા માટે પુદ્ગલની જરૂર પડે છે. તેઓ વિચારધારાએ ચડી ગયા. આત્મસ્વરૂપનું ચિંતન કરતાં કરતાં ધર્મધ્યાન અને શુક્લધ્યાનની શ્રેણીએ ચડતાં તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. બાહ્ય વેશે તેઓ ગૃહસ્થ હતા, પણ આત્મસાક્ષીએ સંસારથી વિરક્ત, રાગદ્વેષથી પર થઈ ગયા હતા.
મહાનિશીથ' સૂત્રમાં કહ્યું છે કે થપ્પો અપવિમgો -ધર્મ આત્મસાક્ષિક છે. ધર્મદાસગણિએ ‘ઉપદેશમાલા' ગ્રંથમાં લખ્યું છે કે :
किं परजन बहु जाणावणाहिं, वरं अप्पसक्खियं सुक्कयं । (બીજાઓને બહુ જણાવવાની શી જરૂર છે ? આત્માની સાક્ષીએ કરેલું સુકૃત એ જ શ્રેષ્ઠ છે.)
એટલે પોતાના આત્માને ધર્મકાર્યથી સંતોષ થાય એ ઇષ્ટ છે. લોકો એ વિશે જાણે કે ન જાણે એથી કંઈ ફરક પડતો નથી. માટે લોકવ્યવહારની, લોકકદરની, ક્યારેય ફિકર કરવી ન જોઈએ. લોકોએ જેઓને “દાનવીર', “મહાતપસ્વી' જેવા સન્માનપત્રો આપ્યાં હોય, સરકારી કે સામાજિક ખિતાબો મળ્યા હોય તેવા કેટલાકે પછી પોતાના દુરાચરણ વડે એનું અવમૂલ્યન કર્યું છે. માટે લોકોનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org