SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩. લોકસંજ્ઞાત્યાગાષ્ટક ૩૧ ૩ માને એવી ઇચ્છા રાખવી એ માયાચાર છે. આત્માની સાક્ષીએ સદ્ધર્મની સિદ્ધિ થઈ હોય તો પછી લોકયાત્રાનું લોકોને કહેતા ફરતા રહેવાનું શું કામ છે ? જ્યાં જાવ ત્યાં લોકો આગળ તમારી તપશ્ચર્યા વગેરેની બડાશ મારવાની શી જરૂર છે ? લોકો જાણે કે ન જાણે, પરંતુ પોતાનો અંતરાત્મા જાણે છે કે પોતે સંયમયાત્રામાં, આત્મસાધનામાં કેટલી પ્રગતિ કરી છે, કેટલી સિદ્ધિ મેળવી છે. વળી આટલું ધ્યાનમાં રાખવું અવશ્ય જરૂરી છે કે લોકોનો માપદંડ સાધકોના બાહ્ય આચરણને આધારે હોય છે. માણસના મનમાં અંદર ઊઠતા વિકલ્પો, વિચારો વગેરેની લોકોને ખબર નથી પડતી. બહારથી માણસ પોતાના બ્રહ્મચર્ય વ્રત માટે બહુ સાવધ હોય, લોકો પ્રશંસા કરે એવી રીતે વર્તન કરતા હોય, પણ અંતરમાં સ્ત્રીઓનો સહવાસ ગમતો હોય, કામભોગ ભોગવવાની લાલસા રહેતી હોય, કોઈને ખબર ન પડે એવી રીતે એકાંતમાં તક મળતી હોય તો તે ઝડપી લેવા મન તત્પર હોય તો એ બ્રહ્મચર્યવ્રતનું પાલન લોકસાક્ષીએ થાય છે, આત્મસાક્ષીએ નહિ. માણસના મનના અજાણ્યા ખૂણામાં જે તરંગો ઉદ્ભવે છે એની બીજાને શી ખબર પડે ? ઉપાધ્યાયજી મહારાજે આ વાત સમજાવવા માટે બે પરસ્પર ભિન્ન દૃષ્ટાન્તો આપ્યાં છે-એક પ્રસન્નચંદ્ર રાજર્ષિનું અને બીજું ભરત મહારાજાનું. પ્રસન્નચંદ્ર રાજર્ષિ દ્રવ્યલિંગી છે, અને ભરત મહારાજા ભાવલિંગી છે. પ્રસન્નચંદ્ર રાજા રાજપાટ ત્યજી દીક્ષિત થયા એટલે રાજર્ષિ કહેવાયા. તેઓ કેવી ઘોર તપશ્ચર્યા કરતા હતા! એક પગે ઊભા રહી, બે હાથ ઊંચા કરી, સૂર્ય સામે દૃષ્ટિ કરી કાઉસગ્ગ ધ્યાને રહેતા હતા.શ્રેણિક મહારાજાએ ભગવાન મહાવીરને પૂછયું, “ભગવાન, પ્રસન્નચંદ્ર રાજર્ષિ આ ક્ષણે જ જો દેહ છોડે તો એમની શી ગતિ થાય ?' ભગવાને કહ્યું, સાતમી નરક'. શ્રેણિક મહારાજાને આશ્ચર્ય થયું. પણ ભગવાનની વાત સાચી હતી. શ્રેણિક મહારાજાના સૈનિકો ત્યાંથી પસાર થતા હતા. તેઓ વાત કરતા હતા કે આ રાજર્ષિના પુત્રને મારી નાખીને, એનું રાજ્ય એના કાકાએ પડાવી લેવાનું કાવતરું કર્યું છે.” એ સાંભળી પ્રસન્નચંદ્ર રાજર્ષિએ ભયંકર રોદ્ર ધ્યાન કર્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy