SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ ૨ જ્ઞાનસાર આવા મુનિઓ, લોકો જ્યારે એમને જોતા હોય ત્યારે નીચું જોઈને ચાલે અને ન જોતા હોય ત્યારે આડુંઅવળું જોતા ચાલે છે. મતલબ કે એમની ઇર્ષા સમિતિ દેખાડો કરવા માટે અને લોકચાહના મેળવવા માટે છે; પોતે કેવી ઊંચી કોટિના સાધુ છે એવી છાપ પાડવા માટે છે. ખેદની વાત છે કે આવા સાધુઓ, લોકસંજ્ઞાથી, લોકપ્રશંસા મેળવવાના ભાવથી હણાયેલા હોય છે. ઉપાધ્યાયજી મહારાજ અહીં કવિત્વશલીથી કટાક્ષમાં કહે છે કે હે મુનિ, તમે વાંકા વળીને ચાલો છો એમાં તમારી ઇર્યાસમિતિ નથી પણ જાણે એવું લાગે છે કે તમારા પોતાના સત્યાગને મર્મઘાત થયો છે. એટલે એની મહાવ્યથા મહાપીડાને કારણે તમે વાંકા વળીને, નીચું જોઈને ધીમે ધીમે ચાલો છો. વસ્તુતઃ લોકરંજનને કારણે તમે તમારા સત્યાગને-તમારા સિદ્ધાન્ત, આચાર અને ધ્યેયને હણો છો. તમારું લક્ષ્ય તો આત્મસાધનાનું છે, પરંતુ લોકનિંદાના ભયે, લોકપ્રશંસા મેળવવા માટે તમે એ ધ્યેય ચૂકી જાવ છો.' સાધુ જીવનમાં પણ લોકસંજ્ઞાથી કેવા કેવા દંભ આવી જાય છે ! [૧૩] માત્મસાક્ષસદ્ધર્મસિદ્ધી જિં નોક્રયાત્રયા ! तत्र प्रसन्नचन्द्रश्च भरतश्च निदर्शने ।।२३।।७।। [શબ્દાર્થ ઃ માત્મસાક્ષ આત્મા સાક્ષી છે જેમાં સદ્ધર્મસિદ્ધ સત્યધર્મની સિદ્ધિ થતાં; વિં=શું; તોથાત્રયા=લોકયાત્રાથી, લોકવ્યવહારથી; તત્ર=તેમાં; પ્રસન્નચન્દ્ર =પ્રસન્નચંદ્ર; ર=અને; મરત:=ભરત; =અને નિર્ણને દષ્ટાન્તમાં, ઉદાહરણથી.]. અનુવાદઃ આત્મા સાક્ષી છે જેમાં એવા સત્યધર્મની પ્રાપ્તિ થતાં, લોકવ્યવહારનું શું કામ છે? આમાં પ્રસન્નચ રાજર્ષિ અને ભરત મહારાજનાં દષ્ટાન્ન છે. (૭) વિશેષાર્થ : ધર્મ આત્માની સાક્ષીએ કરવાનો છે. અંતરમાં કાંઈ પરિણતિ ન હોય, એ પોતે જાણતા પણ હોય પણ બાહ્ય આચરણથી લોકો પોતાને ધાર્મિક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy