________________
૩૧૬
રાનસાર
આવા મહાત્માઓ પરબ્રહ્મમાં અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિરતારૂપી સમાધિવાળા હોય છે. તેઓ તત્ત્વજ્ઞાની અને આત્મજ્ઞાની હોય છે, આત્મામાં સ્થિરતારૂપી રમણ કરનાર હોવાથી તેઓ લોકોત્તર સુખ અનુભવે છે. આવા મહાત્માઓ બ્રહ્મમાં અર્થાત્ સંયમમાં લીન હોય છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ આ પાંચ આશ્રવોથી વિરામ પામે છે. તેઓ પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરે છે, ચાર પ્રકારના કષાયો ઉપર વિજય મેળવે છે અને મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિને રોકે છે. આમ સત્તર પ્રકારે સંયમમાં તેઓ લીન હોય છે. “પ્રશમરતિ'માં ઉમાસ્વાતિ મહારાજે આ પ્રમાણે સંયમના સત્તર ભેદ બતાવ્યા છે. સંયમના ઉત્તરોત્તર વધુ સૂક્ષ્મ ભેદો ગણતાં શીલના અઢાર હજાર અંગ થાય છે.
મુનિ મહાત્માઓને પોતાનાં સંસારી સ્વજનો પ્રત્યે મમતા ન રહેવી જોઈએ, એમના યોગક્ષેમની ચિંતા ન કરવી જોઈએ. પોતાના શિષ્યો, ભક્તો, પોતાની પ્રેરણાથી બંધાયેલાં મંદિર, ઉપાશ્રય વગેરે માટે, ગ્રંથો, ઉપકરણો વગેરે માટે તેઓને મમતા ન રહેવી જોઈએ. અરે, પોતાની નવકારવાળી માટે પણ આગ્રહન રહેવો જોઈએ.
પોતાના કરતાં ઓછા ગુણવાળી વ્યક્તિ આગળ વધી જાય, એને માનપાન મળે, એની સમાજમાં કદર થાય તો માણસમાં અસૂયા, મત્સર, ગુણષ જન્મે છે. પછી એ માણસ બીજાના દોષો બતાવી એની નિંદા કરવા લાગે છે. આરાધકોએ, મુનિ મહારાજાઓએ આ મત્સરભાવથી પર રહેવું જોઈએ. સત્તાનાં ગુણાવસ્થા, તોષવા ચ મૌર્વા એ વસ્તુપાળ મંત્રીની શિખામણ સતત લક્ષમાં રહેવી જોઈએ.
લોકસંજ્ઞાના ત્યાગી મહાત્માઓ પોતાના આત્મસ્વરૂપમાં મગ્નતાનું સુખ અનુભવે છે. ક્યારેક પૂર્વબદ્ધ શુભકર્મના ઉદયથી પોતાને ઇન્દ્રિયસુખ પ્રાપ્ત થાય તો દેવચંદ્રજી મહારાજ “જ્ઞાનમંજરી' ટીકામાં કહે છે કે આ સુખ કેવું લાગવું જોઈએ ? પોતાનું ઘર બળવાથી પ્રકાશ મળે એના જેવું લાગવું જોઈએ. અંધારામાં પ્રકાશ મેળવવા માટે કોઈ પોતાનું ઘર બાળવાની ઇચ્છા ન કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org