________________
૩૮ ૨
જ્ઞાનસાર
એમની દૃષ્ટિ બ્રહ્મમાં એટલે પરમાત્મસ્વરૂપમાં સ્થિર થયેલી હોય છે. તેઓ આત્મજ્ઞાનરૂપ દૃષ્ટિવાળા છે.
બ્રહ્મજ્ઞાન અર્થાત્ આત્મજ્ઞાન એ જ એમનું સાધન છે. તેઓ આ બ્રહ્મયજ્ઞમાં અબ્રહ્મરૂપી, અજ્ઞાનરૂપી, બહિરાત્મરૂપી ઈંધણ હોમે છે.
તેઓ બાહ્ય અને અત્યંતર એમ બંને પ્રકારના બ્રહ્મચર્યની ગુપ્તિવાળા છે. તેઓ બ્રહ્મચર્યની નવ વાડનું કડક પાલન કરનાર છે.
તેઓ આચારાંગસૂત્રના પ્રથમ બ્રહ્મશ્રુતસ્કંધના નવ અધ્યયનમાં કહેલી મર્યાદાઓનું નિષ્ઠાપૂર્વક પાલન કરનારા છે. પરબ્રહ્મમાં એટલે કે શુદ્ધ આત્મસ્વરૂપમાં તેઓ સમ્યગૂ સમાધિવાળા છે.
આવા બ્રહ્મજ્ઞાની મહાત્મા પાપથી લેવાતા નથી. તેઓ બ્રહ્મયજ્ઞમાં પોતાના કર્મોને બાળે છે અને પરમાનંદમય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org