________________
૨૮. નિયાગાષ્ટક
૩૮૧
બ્રહ્મચર્યની ગુપ્તિવાળો-(૭).
વિશેષાર્થઃ ૭ અને ૮ શ્લોકનો સાથ આપ્યો છે. [૨૨૪] બ્રહાધ્યયનનિષ્ઠાવાન્ પરબ્રહ્મસમાદિતઃ |
ब्राह्मणो लिप्यते नाधैर्नियागप्रतिपत्तिमान् ।।२८।।८।। [શબ્દાર્થ ઃ બ્રાધ્યયન=બ્રહ્મ અધ્યયન; નિષ્ઠાવા=નિષ્ઠાવાળો, મર્યાદાવાળો; પરબ્રહ્મ=પર બ્રહ્મમાં; સમાહિત =સમાધિવાળો; બ્રહળ:=બ્રાહ્મણ, નિર્ઝન્થ; તિથd=લેપાય; પૈ=પાપ વડે; નિયા=ભાવયજ્ઞ; પ્રતિપત્તિમાન=પામેલો, સ્વીકારનાર.]
અનુવાદઃ બ્રહ્માધ્યયન (આચારાંગસૂત્રમાં આવતાં એ નામનાં અધ્યયનો)ની નિષ્ઠાવાળો, પરબ્રહ્મમાં સમાધિવાળો, ભાવયજ્ઞને સ્વીકારનાર નિર્ચન્હ (બ્રાહ્મણ) પાપથી લેપાતો નથી. (૮)
વિશેષાર્થ ઃ બ્રહ્મજ્ઞાની મહાત્માનાં કેટલાંક મહત્ત્વનાં લક્ષણો આ બે શ્લોકમાં દર્શાવાયાં છે. શુદ્ધ નિયાગ અથવા બ્રહ્મયજ્ઞ કેવો હોય અને તેનું ફળ કેવું હોય તે અહીં જણાવવામાં આવ્યું છે.
નિયાગ કરનાર એટલે કે બ્રહ્મયજ્ઞ કરનાર બ્રાહ્મણને શ્રમણ, ભિક્ષુ અને નિર્ઝન્ય નામથી પણ ઓળખી શકાય છે.
આવા બ્રહ્મજ્ઞાનીએ બ્રહ્મમાં સર્વસ્વ અર્પણ કર્યું હોય છે. બ્રહ્મજ્ઞાની મુનિએ પોતાનાં ઘરબાર, માલમિલકત ઇત્યાદિ તો ક્યારનાં ત્યજી દીધાં-હોમી દીધાં હોય છે. હવે એમને પોતાના શરીર ઉપર પણ મમતા રહી નથી હોતી. વળી તેઓને પોતાનાં કોઈ વિચાર, ભાવ ઇત્યાદિ માટે પણ આગ્રહ નથી હોતો. એમણે પોતાના આત્માની પરિણતિરૂપ પોતાના લાયોપથમિક ભાવો પણ આત્મામાં સ્થાપન કરી દીધા હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org