________________
૩૯૨
જ્ઞાનસાર
સુસંવાદી હોય છે. એ ત્રણેની એકતા એટલે ધારણા, ધ્યાન અને સમાધિની એકતા.
આ ત્રણેની એકતારૂપી સંયમમાં જ્ઞાની ભગવંતે લીન થવાનું છે. આ આત્મદેવની પૂજા છે. અહીં યોગની ઉચ્ચત્તમ ભૂમિકા બતાવવામાં આવી છે.
આત્મસાધનાનો આ ઉચ્ચત્તમ અનુભવ છે. [૨૩૧] 37સમનસ: સત્યધટાં વાહિયતતવ |
ભાવપૂગીરતú aો મહોય: રાછા [શબ્દાર્થ ઃ ૩7 સન્મનસ:=ઉલ્લસિત મનવાળા; સત્યઘંટાં સત્યરૂપી ઘંટ; વાયત વગાડતાં; તવ=તારી; ભાવપૂના=ભાવપૂજા; ઉતર્યા=રત (રક્ત) થયેલા; હ્યું એમ; રોડે હથેળીમાં; મહોય=મોક્ષ.]
અનુવાદઃ ઉલ્લસિત મનવાળા, સત્યરૂપી ઘંટ વગાડતા અને ભાવપૂજામાં લીન એવા તને હથેળીમાં મોક્ષ છે. (૭)
વિશેષાર્થ દેરાસરમાં વ્યક્તિ જિનેશ્વર ભગવાનની જલ, કેસર (ચંદન), પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, ફળ, નૈવેદ્ય ઇત્યાદિ આઠ પ્રકારની પૂજા કરી, આરતી મંગળદીવો ઉતારી, ચૈત્યવંદન ઇત્યાદિ કરી–એમ બધી પૂજાવિધિ કર્યા પછી છેલ્લે બહાર નીકળતાં પહેલાં પોતાના ઉલ્લાસના પ્રતીકરૂપે ઘંટ વગાડે છે, મંગલમય ઘંટનાદ કરે છે. ઘંટનાદપૂજા કરનારનો આનંદોલ્લાસ દર્શાવે છે. બીજાને એથી એની જાણ પણ થાય છે.
સાધુ મહારાજથી દેરાસરમાં ઘંટ વગાડાય નહિ, છતાં ગૃહસ્થ શ્રાવકો કરતાં એમનો આનંદોલ્લાસ ઘણો બધો ચડિયાતો હોય છે. ભગવાનનાં દર્શન કરીને તેમનું મન ઉલ્લાસિત થાય છે. તેઓ પોતાના અંતરમાં સત્યરૂપી ઘંટ વગાડે છે.
જ્યાં સત્ય છે ત્યાં એનો દિવ્ય રણકાર અનોખો છે. સાધુના જીવનમાં આંતર-બાહ્ય એકતારૂપ સત્ય છે. રાગદ્વેષથી રહિતપણાનું સત્ય છે, અભેદ પરિણતિનું સત્ય છે. આ સત્યરૂપી ઘંટ અંતરમાં સ્વયંમેવ વાગે છે. એનાથી ચહેરા પર જે ઉલ્લાસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org