SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯. પૂજાષ્ટક ૩૯૩ પથરાય છે તે છાનો રહેતો નથી. ઘંટ ઉલ્લાસનું પ્રતીક છે. તેમ જાહેરાતનું, બીજા લોકોને જાણ કરવાનું, ઢંઢેરાનું પણ પ્રતીક છે. અહીં પરમાત્મસ્વરૂપ મોક્ષ પ્રાપ્ત કરવાનો ઢંઢેરો છે. એટલે જ ઉપાધ્યાયજી મહારાજ ભાવપૂજાના સાધક મુનિ મહારાજને કહે છે કે ભાવપૂજાની સાચી સજ્જતા હશે તો મહોદય એટલે કે મોક્ષ તમારી હથેળીમાં છે. [૨૩૨] દ્રવ્યપૂગોવિતા મેવોપાસના ગૃહમદનામ્ भावपूजा तु साधूनामभेदोपासनात्मिका ।।२९।।८।। [શબ્દાર્થ દ્રવ્યપૂH=દ્રવ્યપૂજા; વિતા=યોગ્ય છે; મેવોપાસના=ભેદપૂર્વક (વિવિધ પ્રકારે) ઉપાસનારૂપ; પૃદયનામeગૃહસ્થોને માટે; માવપૂના=ભાવપૂજા; તુ=પરંત; સાધૂના=સાધુઓને માટે; મખેવોપાસનાભિ=અભેદ ઉપાસનારૂપ.] અનુવાદઃ ગૃહસ્થોને ભેદપૂર્વક ઉપાસનારૂપી દ્રવ્ય પૂજા યોગ્ય છે અને સાધુઓને માટે અભેદ-ઉપાસનારૂપ ભાવપૂજા ઉચિત છે. (૮) વિશેષાર્થ પંચ મહાવ્રતધારી સાધુ મહારાજોને જિનેશ્વર ભગવાનની પ્રતિમાની દ્રવ્યપૂજા હોતી નથી, કારણ કે તેમાં આરંભ-સમારંભ હોય છે. તેઓને તો માત્ર ભાવપૂજા હોય છે. ક્રિયારુચિવાળા જીવને દ્રવ્યપૂજા ગમે છે. તે જયણાપૂર્વક કરવાની હોય છે. સાધુઓએ શ્રાવકપણામાં આવી દ્રવ્યપૂજા કરી હોય છે. સાધુઓ પણ પોતાની ભાવપૂજામાં રૂપકશૈલીએ ઉચ્ચ આધ્યાત્મિક અર્થમાં દ્રવ્યપૂજાને કેવી રીતે વણી લઈ શકે છે તેનું સરસ નિરૂપણ આ અષ્ટકમાં કરવામાં આવ્યું છે. કોઈ સાધુ મહારાજને શ્રાવકપણાના સંસ્કારને લીધે દ્રવ્યપૂજાનાં ભાવ કે અભિલાષા થાય તો તેમને માટે અહી ભાવપૂજામાં દ્રવ્યપૂજાનું સરસ અર્થઘટન કરવામાં આવ્યું છે. સાધુઓએ ભાવપૂજા કરવાની હોય છે. પરંતુ શ્રાવકો તો જલ, ચંદન, પુષ્પાદિ વડે દ્રવ્યપૂજા કર્યા પછી ચૈત્યવંદનાદિ દ્વારા ભાવપૂજા પણ કરે છે. આમ શ્રાવકોને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy