________________
૩૯૪
જ્ઞાનસાર
બંને પ્રકારની પૂજાનો લાભ મળે છે, જ્યારે સાધુઓને ફક્ત ભાવપૂજાનો જ લાભ મળે છે. તો એકંદરે શ્રાવકોને વધુ લાભ મળે છે એમ ન કહેવાય ?
ના, કારણ કે શ્રાવકોની ભાવપૂજા અને સાધુઓની ભાવપૂજા વચ્ચે ફરક છે. શ્રાવકોની ભાવપૂજા એ ભેદોપાસના છે. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે સાધુની ભાવપૂજા તો એથી વધુ ચડિયાતી છે, કારણ કે તે અભેદોપાસના છે.
ભેદોપાસનામાં ભક્ત અને ભગવાન વચ્ચે ભેદ છે. તીર્થકર ભગવાન ઉપાસ્ય છે અને પોતે ઉપાસક છે, ભગવાન સેવ્ય છે અને પોતે સેવક છે, એ ધ્યેય છે અને પોતે ધ્યાતા છે-આ ભેદ ભગવાન અને ગૃહસ્થ ભક્ત વચ્ચે રહેલો છે. ગૃહસ્થ શ્રાવકો તીર્થંકર પરમાત્માનું આલંબન લઈ દ્રવ્યપૂજા અને ભાવપૂજા કરે છે. સ્તવન-ચૈત્યવંદનાદિ વડે તીર્થકર ભગવાનના ગુણસંકીર્તન રૂપ અને એમના પ્રત્યે બહુમાનપૂર્વક, ક્યારેક ગીત, ચામર નૃત્ય સાથે શ્રાવક દ્વારા કરાતી ભાવપૂજા સવિકલ્પ છે. આવી ભાવપૂજા તે “ભાવોપનીત માનસ પૂજા કહેવાય છે. એમાં મનના ભાવો બહુ ઉચ્ચ કોટિના હોવા છતાં હું તે ભક્ત અને મારા ઉપાય તે તીર્થંકર પરમાત્મા’ એવો બે વચ્ચે ભેદ રહે છે.
જ્ઞાની સાધુભગવંતોની અભેદોપાસના રૂપ ભાવપૂજા તે “કાયિકી' ભાવપૂજા કહેવાય છે. આ ભાવપૂજા નિર્વિકલ્પ ઉપયોગવાળી હોય છે. એમાં અરિહંત પરમાત્માના ગુણો સાથે પોતાના આત્માના ગુણોની એકતા અનુભવાય છે. એમાં આત્મા અને પરમાત્મા વચ્ચે અભેદ અનુભવાય છે. ભેદોપાસના કરતાં આ અભેદોપાસનાનો આનંદ ઘણો ચડિયાતો, અનિવાર્ચનીય હોય છે.
જેઓએ ભેદોપાસના કરી નથી હોતી તેઓ સીધા અભેદોપાસનાની પ્રાપ્તિ કરી શકતા નથી. એટલે આરંભમાં ભેદોપાસના આવશ્યક છે. જેમ જેમ ભેદોપાસના ઉચ્ચ સ્વરૂપની બનતી જાય તેમ તેમ સાધક અભેદોપાસનાની નજીક આવે છે.
ભેદોપાસના અને અભેદોપાસના પોતપોતાના સ્થાને ઉચિત છે. આત્મવિકાસ માટે બંને ઉપયોગી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org