________________
૩૦. ધ્યાનાષ્ટક
૩૯૫
૩૦ ધ્યાનાષ્ટક [૨૩૩] ધ્યાતા યં તથા સ્થાનં ત્રયં યāવતાં ગતમ્ |
મુનેરનવાર્ય તસ્ય ફુવંન વિદ્યતે રૂપાપા [શબ્દાર્થ ધ્યાતા–ધ્યાન કરનાર; ધ્યેયં=ધ્યાન કરવા યોગ્ય વિષય; તથા=અને; ધ્યાન ધ્યાન; ત્રયંત્રએ ત્રણ; થસ્થ=જેને; પતi=એકતાને, એકપણાને; તિં પ્રાપ્ત થયેલ છે; મુને =મુનિને; અનન્યવા=અનન્ય ચિત્તવાળાને; તસ્ય–તેને; હું:ā=દુઃખ; ન=નથી; વિદ્યતે–હોતું.]
અનુવાદઃ ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતાને પામેલા, અનન્ય ચિત્તવાળા મુનિને દુઃખ હોતું નથી. (૧)
વિશેષાર્થ : ધ્યાનનો વિષય અત્યંત વિશાળ છે. જ્યાં ચિત્ત છે ત્યાં ધ્યાન છે; તે શુભ હોય કે અશુભ હોય, તે ક્ષણિક હોય, અલ્પકાલીન હોય કે દીર્ઘકાલીન હોય, તે સામાન્ય માણસથી માંડીને કેવળીભગવંત સુધી હોય. આવી વિશાળતા ધ્યાનના ક્ષેત્રની છે. અષ્ટાંગ યોગમાં ધ્યાન એક અંગ છે અને એની સૂક્ષ્મ વિચારણા થઈ છે. ભગવદ્ગીતા અને અન્ય ધર્મના બીજા કેટલાક ગ્રંથોમાં ધ્યાનની મીમાંસા થઈ છે. સારા આરોગ્ય માટે અને માનસિક શાન્તિ માટે પણ ધ્યાનના પ્રયોગો કરાવાય છે. કેટલાક ધ્યાનના પ્રયોગોમાં ધ્યાન ધરનાર માટે કશી પૂર્વ સજ્જતાની અપેક્ષા હોતી નથી. (બગલાઓ પણ ધ્યાન ધરે છે.) જો કે તેનું પરિણામ પણ એવું જ હોય છે. આધ્યાત્મિક, મોક્ષમાર્ગ ધ્યાન માટે પૂર્વ સજ્જતાની અપેક્ષા રહે છે. જિનભદ્રગણિએ “ધ્યાનશતક'ની રચના કરી છે. શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રાચાર્ય વગેરે મહાત્માઓએ પણ ધ્યાનની વિચારણા કરી છે. ખુદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org