SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ જ્ઞાનસાર યશોવિજયજી મહારાજે “અધ્યાત્મસાર”માં “ધ્યાન-અધિકાર' અને ધ્યાન-સ્તુતિ અધિકાર' એમ બે અધિકાર લખ્યા છે. એટલે આ અષ્ટકના આઠ શ્લોકમાં તો નિચોડરૂપ થોડીક મહત્ત્વની વાત સર્વોત્કૃષ્ટ ધ્યાન માટે એમણે કહી છે. અહીં પ્રથમ શ્લોકમાં ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતાની વાત એમણે કરી છે. ધ્યાતા એટલે ધ્યાન ધરનાર, ધ્યેય એટલે પ્રવૃત્તિનું લક્ષ્ય, અંતિમ લક્ષ્ય. ધ્યાન એટલે ચિંતનનો વિષય, અથવા ધ્યાતા અને ધ્યેયને જોડનારી ક્રિયા. ઉપાધ્યાયજી મહારાજે “અધ્યાત્મસાર'ના “ધ્યાન અધિકારના પ્રથમ શ્લોકમાં કહ્યું છેઃ स्थिरमध्यवसानं यत् तद्ध्यानं चित्तमस्थिरम् । भावना चाप्यनुप्रेक्षा चिन्ता वा तत्त्रिधा मतम् ।। [જ સ્થિર અધ્યવસાય છે તે ધ્યાન છે. અસ્થિર રહે તેવા ચિત્તના ભાવના, અનુપ્રેક્ષા અને ચિંતા એમ ત્રણ પ્રકાર કહ્યા છે.] ધ્યાનશતક'માં શ્રી જિનભદ્રગણિએ કહ્યું છેઃ अंतो मुहत्तमित्तं चित्तावत्थाणमेगवत्थुम्मि। छउमत्थाणं झाणं जोगनिरोहो जिणाणं तु ॥ [એક વસ્તુમાં અન્તર્મુહૂર્ત સુધી ચિત્તની સ્થિતિરૂપ ધ્યાન છદ્મસ્થને હોય છે અને જિનોને (કેવલી ભગવંતોને) યોગનો વિરોધ કરવારૂપ ધ્યાન હોય છે.] કોઈ સાંસારિક વિષયનું, કોઈ વિશિષ્ટ પદાર્થનું, કોઈ તત્ત્વના વિષયનું, કોઈ વિભૂતિનું, કોઈ યાત્રાસ્થળનું–એમ કોઈપણ વિષયનું ધ્યાન ધરી શકાય છે, એમાં એકાગ્ર બની શકાય છે. ઉચ્ચ સ્વરૂપના ધ્યાનમાં કીટ-ભ્રમર ન્યાયે, એટલે કે કીડો ભમરીનું ધ્યાન ધરતાં ધરતાં ભમરી બની જાય છે એ પ્રમાણે, જીવાત્મા પરમાત્માનું ધ્યાન ધરતાં ધરતાં પરમાત્મામય, ખુદ પરમાત્મસ્વરૂપ બની જાય એક વખત આવા ધ્યાનમાં મુનિઓ લાગી જાય તો પોતાના આત્મજ્ઞાનના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy