________________
૩૦. ધ્યાનાષ્ટક
૩૯૭
આવરણરૂપ પુગલોના સંયોગથી જે દુઃખ થાય છે તે દુઃખનું નિવારણ થઈ જાય છે. ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતાથી મોહનો ક્ષય થવા લાગે છે. આવી ઊંચી દશાએ પહોંચેલા મુનિને કોઈ વાતે દુઃખ હોતું નથી. સંસાર સ્વપ્નની જેમ અથવા કર્મરાજાએ કરાવેલા નાટકની જેમ અનિત્ય છે એવી અંતરની શ્રદ્ધા થયા પછી કર્મના ખેલથી તેમને સુખદુઃખ થતું નથી. દેહ સાથેનો સંબંધ તો અયોગી કેવળીના ગુણસ્થાનક સુધી રહેવાનો છે. પરંતુ દેહથી પર થઈ, દેહાતીત બની ધ્યાનમાં લીન થનાર મુનિ મહાત્માને કોઈ દુઃખ હોતું નથી. [૩૪] ધ્યાતાડતરાત્મા યતુ પરમાત્મા પ્રક્ષીર્તિતા
ધ્યાને વૈધ્યસંવિત્તિ: સમાપત્તિસ્તતા રૂપારા [શબ્દાર્થ : ધ્યાતા–ધ્યાન કરનાર; મન્તર ભા=અંતરાત્મા છે; ધ્યેય ધ્યાન કરવા યોગ્ય વિષય; તુ=પરંતુ, તો; પરમાત્મા–પરમાત્મા પ્રોર્તિત કહી છે; ધ્યાનં ધ્યાન; ર=અને; પથ્ય=એકાગ્રતા; સંવિત્તિ=બુદ્ધિ, સમપત્તિ=સમાપત્તિ; તત=તેની (એ ત્રણેની) એકતા].
અનુવાદઃ ધ્યાતા (ધ્યાન કરનાર) અંતરાત્મા છે, ધ્યેય (ધ્યાન કરવા યોગ્ય વિષય) પરમાત્મા છે અને ધ્યાન તે એકાગ્ર બુદ્ધિ છે-આ ત્રણેની એકતા તે સમાપત્તિ છે. (૨)
વિશેષાર્થ ઃ હવે સમાપત્તિ' શબ્દની વ્યાખ્યા આપવામાં આવી છે. ધ્યાનના વિષયમાં “સમાપત્તિ' પારિભાષિક શબ્દ છે. આ શબ્દ જૈન દર્શનમાં વપરાય છે અને યોગદર્શનમાં યોગાચાર્યોએ પણ એ જ શબ્દ પ્રયોજ્યો છે. સંસ્કૃત ભાષામાં સમાપત્તિ એટલે સાથે પરસ્પર મળવું, એકરૂપ થવું.
ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતાને સમાપત્તિ કહેવામાં આવે છે. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એ ત્રણેનાં ગુણલક્ષણો અહીં બતાવવામાં આવ્યાં છે. એ હોય તો સમાપત્તિ, અન્યથા નહિ. ધ્યાતા ભૌતિક જીવનમાં રાચનાર હોય, ધ્યેય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org