________________
૨૯. પૂજાષ્ટક
૩૯૧
એટલે મન, વચન અને કાયાના યોગનો નિરોધ. શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે, “જ્યાં કર્મબંધનાં કારણોમાં પ્રવર્તતા વીર્યની તેવા પ્રકારની પ્રવૃત્તિ નથી, પણ પોતાના આત્મધર્મમાં સાધનરૂપ અનુભવની એકતામાં વીર્ય સહજભાવે પ્રવર્તે છે તે સામર્થ્યયોગ કહેવાય છે.”
સાધકે આ સામર્થ્યયોગરૂપી આરતીની વિધિ પૂરી કરવાની છે. યોગસંન્યાસરૂપી આ સામર્થ્યયોગ કેવળી ભગવંતોને હોય છે. [૩૦] રમવીપ ર સ્થાપવાનુભવં પુર: 1
યોનૃિત્યપરસ્તૌત્રિસંયમવીશ્ મવારપાદા [શબ્દાર્થ : જીર=સ્કુરાયમાન; મન્નવી =મંગળ દીવાને; =અને; થાય= સ્થાપન કર; મનુવં=અનુભવરૂપ; પુર:=આગળ; યોનૃિત્યપર:=યોગરૂપ (સંયમયોગરૂપ) નૃત્યપૂજામાં તત્પર; તૌયંત્રિ==ણ (ગીત, નૃત્ય અને વારિત્ર)નો સમૂહ; સંયમવા=સંયમવાળો; મ=થા.]
અનુવાદક અનુભવરૂપી સ્કુરાયમાન (ઝળહળતા) મંગળદીવાની સ્થાપના કર. (સંયમ) યોગરૂપી નૃત્યપૂજામાં તત્પર થઈને ત્રણ (ગીત, નૃત્ય અને વાજિંત્રોની એકતાના જેવા સંયમવાળો થા. (૬). વિશેષાર્થ દેરાસરમાં પૂજાવિધિમાં આરતી પછી મંગળદીવો હોય છે. મુનિવરને ભાવપૂજામાં અનુભવજ્ઞાનરૂપ સ્કુરાયમાન મંગળદીવો સ્થાપન કરવાનું કહેવામાં આવ્યું છે. આ મંગળ દીવો એમણે પોતાના શુદ્ધ પરમાત્મ સ્વરૂપ ભગવાન આગળ સ્થાપવાનો છે. મંગળ દીવો અનુભવજ્ઞાનનું પ્રતીક છે. અનુભવજ્ઞાનમાં ઘણી તરતમતા છે. કેવલી ભગવંતને કેવળજ્ઞાન થાય તે પહેલાંની તરતની દશારૂપ અનુભવજ્ઞાનનો અહીં નિર્દેશ છે.
પૂજાવિધિમાં મંગળદીવો પછી ઉત્સાહ અને ઉલ્લાસની અભિવ્યક્તિરૂપે ગીત, નૃત્ય અને વારિત્ર (વાજિંત્ર) એ ત્રણ વડે ઉત્સવ થાય છે. એમાં એ ત્રણે પરસ્પર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org