SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ જ ૬૬ કે દકિકક ક૬૬૬૪ જકકકક ૬૬ ૩ થી સદ્ભત ઉઠસક ડૉ. રમણભ૮ઈ . ૮૮૭ કે “ “ “ “ “ “ MOROXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOGO જ = = = = પર છે સ્વતંત્રપણે સહજરૂપે શેયોને જાણવાની જે શક્તિ તે જ જ્ઞાન છે તે શક્તિ જ્યારે શાંત, ધીર, ગંભીર, સ્વસ્થ નિરપેક્ષપણે મહાપુરુષોએ રચેલા સંતશાસ્ત્રોનું તલસ્પર્શી અવલોકન કરે ત્યારે નિર્મળ મતિમાં દિવ્ય તત્ત્વની સત્યતા પ્રગટ થાય. પરમ આદરણીય ડૉ. રમણભાઈની નિર્મળ પ્રજ્ઞાએ આવો સાત્ત્વિક ઉદ્યમ અનેકવાર કર્યો અને તેની સમ્રભાવનાનો સુઅવસર શ્રી રાજ-સોભાગ આશ્રમને પ્રાપ્ત થયો તે પરસ્પરનો પુણ્યાનુબંધ પુણ્યોદય છે. શ્રુતોપાસક ડૉ. રમણભાઈ મુંબઈની સુપ્રસિદ્ધ સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં વર્ષો સુધી ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યાપક તથા એન.સી.સી.ના ઑફિસર રહીને, પછી મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ બનનાર ડૉ. રમણભાઈ ચી. શાહ એક ઉત્તમ અધ્યાપક હોવા ઉપરાંત વિદ્વાન વિવેચક, સંશોધક, સંપાદક તથા પી.એચ. ડી.ના માર્ગદર્શક પણ હતા. તેમના હાથ નીચે અઢાર જેટલા વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ પ્રાપ્ત થઈ છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ તથા ‘પ્રબુદ્ધ જીવન'ના તંત્રી તરીકે દાયકાઓ સુધી સેવા આપનાર રમણભાઈએ સંઘ દ્વારા પ્રાયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળાનું સુકાન સંભાળી જૈન સાહિત્ય સમારોહમાં સક્રિય રહી લોકોને જૈન ધર્મ-તત્ત્વ-સાહિત્ય પ્રતિ અભિમુખ કર્યા. અધ્યયન, અધ્યાપન તથા જ્ઞાન તેમજ સેવામૂલક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહીને પણ તેમણે વિશ્વભરના દેશોના પ્રવાસ ખેડ્યા, જેના અનુભવને તેમણે અનેક ગ્રંથોમાં શબ્દસ્થ કર્યા. તેમના એકસોથી પણ અધિક પુસ્તકોમાં તેમની બહુશ્રુત-બહુમુખી પ્રતિભાના દર્શન થાય છે. તત્ત્વસમજણની સૌરભમાં શ્રુતોપાસક ડૉ. રમણભાઈનો આત્મા સમાધિષ્ઠ ભાવે સ્થિર થઈ સમાઈ જાય એજ શુભ ભાવના સાથેની શ્રદ્ધાંજલિ. Jain Education Intematonal For Personal & Private use only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy