________________
૧૮૬
જ્ઞાનસાર
વા=અને; વર્ણન=દર્શન; મુને =મુનિને; શુદ્ધજ્ઞાનના=શુદ્ધ જ્ઞાનનય પ્રમાણે; સાથ્થુ સાધ્ય છે; ક્રિયાનામા=ક્રિયાના લાભથી; યિાન ક્રિયાનય પ્રમાણે.]
અનુવાદ–શુદ્ધ જ્ઞાનનયના અભિપ્રાય મુનિને આત્મામાં ચાલવાથી ચારિત્ર, જ્ઞાન અને દર્શન સાધ્ય છે. ક્રિયાનયના અભિપ્રાયે (જ્ઞાનના ફળરૂ૫) ક્રિયાના લાભથી મુનિને જ્ઞાન, દર્શન અને ચારિત્ર સાધ્ય છે. (૩)
વિશેષાર્થ : મુનિને જ્ઞાન, દર્શન અને ચારિત્રની પ્રાપ્તિ જુદા જુદા નય પ્રમાણે કેવી રીતે સિદ્ધ થાય છે તે અહીં જણાવવામાં આવ્યું છે.
સૌ પ્રથમ એ સમજી લેવું જોઇએ કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ જાણે એકબીજાથી સ્વતંત્ર, અલગ અલગ, Water-Tight Compartment જેવા પદાર્થ નથી. એ ત્રણે એકબીજા સાથે એવાં સંલગ્ન છે કે સાધનાથી ત્રણેનો અભેદ સિદ્ધ થઈ શકે છે. મતલબ કે ભિન્ન ભિન્ન નયથી જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણને એક તરીકે બતાવી શકાય છે, ત્રણને બે તરીકે પણ બતાવી શકાય છે અને ત્રણને ત્રણ તરીકે પણ બતાવી શકાય છે.
અહીં શુદ્ધ જ્ઞાનનય (અને જ્ઞાનાદ્વૈત નય પણ કહ્યો છે) પ્રમાણે પૌદ્ગલિક ભાવોથી નિવૃત્ત થઈ આત્માને વિષે ચાલવું એ જ ચારિત્ર છે. આત્મરમણતા, આત્માના શુદ્ધ સ્વરૂપનો અવબોધ એ જ ચારિત્ર છે. આ નય પ્રમાણે જ્ઞાન, દર્શન અને ચારિત્રનો અભેદ છે. આ નય કહે છે કે આત્માનો જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ એ જ ચારિત્ર છે. જો શુદ્ધ આત્મરમણતા ન હોય તો ચારિત્ર પણ ન હોય.
ક્રિયાનય એમ કહે છે કે કેવળ આત્મરમણતા એ ચારિત્ર નથી, પણ તે પ્રમાણે અનુરૂપ જો ક્રિયા થાય તો જ તે ચારિત્ર છે. જ્ઞાનથી વૈરાગ્ય પ્રાપ્ત થાય છે અને વૈરાગ્યથી આશ્રવનિરોધ થાય છે. આશ્રવોના નિરોધથી કર્મ બંધાતાં નથી અને તપથી કર્મની નિર્જરા થાય છે. એટલે આત્મરમણતા પછી તદનુસાર ક્રિયા થાય તો તે ચારિત્ર છે. આ નય કહે છે કે પાણીમાં તરવા વિશે ફક્ત જ્ઞાન જ હોય અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org