________________
૧૩. મૌનાષ્ટક
[જે શ્રુતજ્ઞાન વડે કેવળ શુદ્ધ આત્માને જાણે છે તેને લોકમાં પ્રકાશ કરનારા ઋષિઓ શ્રુતકેવલી કહે છે.]
જેઓ શ્રુતજ્ઞાનથી જ્ઞાનસ્વરૂપ આત્માને જાણે છે તેઓને હવે આત્મજ્ઞાન દ્વારા સર્વ શ્રુત પ્રકાશમાન થાય છે, એટલે શ્રુત અને આત્માના અભેદથી તેઓને શ્રુતકેવલી કહેવામાં આવે છે.
जो अनाणं सव्वं जाणइ सुअकेवलिं तमाहु गिणा । नाणं आया सव्वं जम्हा सुअकेवली तम्हा ।।
[જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તેને જિનો શ્રુતકેવલી કહે છે, કારણ સર્વ જ્ઞાનરૂપ છે તેથી તે શ્રુતકેવલી કહેવાય.]
૧૮૫
આમ શ્રુતજ્ઞાન દ્વારા ભેદનયથી કે અભેદનયથી એમ બંને રીતે આત્મા આત્માને જાણે છે.
આત્માને જાણવા માટે સૌથી મહત્ત્વનું તે મોહત્યાગ કરવાનું છે. કહ્યું છેઃ आत्मानमात्मना वेत्ति मोहत्यागाद् यदात्मनि । तदेव तस्य चारित्रं तज्ज्ञानं तच्च दर्शनम् ।।
કે આત્મા
[આત્મા મોહના ત્યાગથી આત્માને વિષે આત્મા વડે આત્માને જે જાણે છે તે જ તેનું ચારિત્ર છે, તે જ જ્ઞાન છે અને તે જ દર્શન છે.]
મોહત્યાગની વાત કરવી અઘરી નથી અને સમજવી પણ અઘરી નથી, પણ ખરેખર મોહત્યાગ કરી, રાગદ્વેષથી ૫૨ થઈ આત્મામાં દર્શન, જ્ઞાન અને ચારિત્રની અભેદ પરિણતિનો અનુભવ કરવો એ ખરેખર દુષ્કર કાર્ય છે. મોટા જ્ઞાની મહાત્માઓ એ સિદ્ધ કરી શકે છે.
Jain Education International
[૯૯] ચારિત્રમાભષરાત્ જ્ઞાનં વા વર્ણન મુને
शुद्धज्ञाननये साध्यं क्रियालाभात् क्रियानये ।। १३ ।। ३ ।। [શબ્દાર્થઃ ચારિત્રં=ચારિત્ર છે; આત્મવરળાત્=આત્માને વિશે ચાલવાથી; જ્ઞાનંજ્ઞાન;
For Personal & Private Use Only
www.jainelibrary.org