________________
૧૮૪
જ્ઞાનસાર
(૪) અધિકરણ. ક્યાં જાણે?–આત્મામાં, આત્માને વિશે.
એટલે કથન આ પ્રમાણે થયું: આત્મા, આત્માને, આત્મા વડે, આત્મામાં જાણે છે” આ કથન છે નાનું, પણ એનું રહસ્ય બહુ ગહન અને વ્યાપક છે.
આત્મા પોતે જ્ઞાતા છે. એટલે આત્મા પોતે કર્તા છે. આત્મા પોતે પોતાના શુદ્ધ સ્વરૂપને એટલે કે આત્માને જાણે છે. એટલે આત્મા’ કર્મ છે. આત્મા પોતાને પોતાના જ્ઞાન ગુણરૂપ સ્વરૂપ દ્વારા-એટલે કે આત્મા દ્વારા જાણે છે. એટલે આત્મા કરણ છે. આત્મા પોતાનામાં જ પોતાને જાણે છે. એટલે અધિકરણ પણ આત્મા જ છે.
આમ જાણનાર તે આત્મા છે. તે પોતાના વિશુદ્ધ સ્વરૂપને-આત્માને જાણે છે. તે આત્મા વડે પોતાના આત્મામાં પોતાના આત્માને જાણે છે.
શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે “વિશેષ આવશ્યક ભાષ્ય'માં ચાર કારકથી નહિ, પણ છ કારકથી-કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ (આધાર) એ છ વિભક્તિથી આત્મસ્વરૂપ સમજાવ્યું છે. એ આ પ્રમાણે થાયઃ આત્મા, આત્માને આત્મા દ્વારા, આત્મા માટે, આત્મા થકી, આત્મામાં જાણે છે.” (વિવેક અષ્ટકમાં હવે આવશે.)
આ રીતે આત્માને જાણવા માટે તેમાં સમ્યગ્દર્શન (રુચિ), જ્ઞાન અને ચારિત્રની અભેદ પરિણતી મુનિને હોય છે. આત્માને જાણવાની આ ક્રિયા જ્ઞપરિજ્ઞા અને પ્રત્યાખ્યાનપરિજ્ઞા એમ બે પરિજ્ઞાથી થાય છે. જ્ઞપરિજ્ઞા આત્માનું સ્વરૂપ ઓળખાવે છે અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા તે માટે યોગ્ય પુરુષાર્થ કરવા પ્રેરે છે.
આત્મા આત્માને જાણે એ સંબંધે ઉપાધ્યાયજી મહારાજે “સમયપ્રાકૃત'માંથી બે ગાથાઓ પોતાની ટીકામાં ટાંકી છે. એકમાં અભેદનયથી રજૂઆત છે અને બીજી ગાથામાં ભેદનયથી રજૂઆત છે.
जो हि सुएणभिगच्छइ अप्पाणमिणं तु केवलं सुद्धं । तं सुअकेवलिमिसिणो भणंति लोगप्पदीवयरा ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org