________________
૧૩. મૌનાષ્ટક
૧૮૩
(માયાવી), અને પ્રમાદી ગૃહસ્થોએ પાલન કરવું શક્ય નથી.” એટલે જ “આચારાંગસૂત્ર'માં કહ્યું છેઃ
मुणी मोणं समायाए धुणे कम्मसरीरगं ।
पंतं लूहं च सेवन्ति वीरा सम्मत्तदंसिणो ।। મુનિ મન ગ્રહણ કરીને કાર્મણ શરીરનો નાશ કરે છે. તે માટે સમ્યકત્વદર્શી વીરો પ્રાન્ત અને રુક્ષ ભોજન કરે છે.] [૯૮]ઝાભાડભવ થમ્બુદ્ધ નાનાત્યાત્માનમાભના !
સેવં રત્નત્રયે તથ્યાવાતા મુને ! ૨૩ / ૨ | [શબ્દાર્થઃ માત્મા આત્મા; માત્મનિ=આત્મામાં, આત્માને વિશે; પર્વ જ; યતિ જે; શુદ્ધ=શુદ્ધ, કર્મરહિત; નાનાતિ=જાણે છે; માત્માનં=આત્માને; માત્મના–આત્મા વડે; સા=0; યં આ; રત્નત્રયે ત્રણ રત્નમાં, દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ ત્રણ રત્નમાં; જ્ઞપ્તિબાવાતા=જ્ઞપ્તિ (જ્ઞાન), રુચિ (શ્રદ્ધા) અને આચારની એકતા એટલે અભેદ પરિણતિ; મુને =મુનિને (હોય છે.)].
અનુવાદ-આત્મા આત્મા વડે, આત્મામાં જ વિશુદ્ધ (કર્મરહિત) આત્માને જાણે એ આ રત્નત્રયમાં (દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપી ત્રણ રત્નમાં) જ્ઞાન (જ્ઞપ્તિ), શ્રદ્ધા (રુચિ) અને આચારની અભેદ પરિણતિ મુનિને હોય છે. (૨)
વિશેષાર્થ સમકિતધારી મુનિમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રની અભેદ પરિણતિ હોવી જોઈએ. આ અભેદ પરિણતિ કઈ રીતે થાય ? તે માટે આત્મસ્વરૂપની પ્રક્રિયા અહીં બતાવી છે. આ પ્રક્રિયા બતાવવા માટે વ્યાકરણની ચાર વિભક્તિ (કારક)નો અહીં ઉપયોગ થયો છેઃ (૧) કર્તા. જાણનાર કોણ છે ?–આત્મા. (૨.) કર્મ. કોને જાણે છે ?–આત્માને. (૩.) કરણ. શેના વડે જાણે છે ?–આત્મા વડે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org