________________
૩. સ્થિરતાષ્ટક
૪૭.
અને કાયાના યોગ જો ન હોય તો એમને દ્રવ્ય ક્રિયારૂપ સ્થિરતાનો પ્રશ્ન ક્યાંથી હોય ? પણ તેઓને વસ્તુના ધર્મરૂપી, આત્માના સ્વભાવરૂપી ભાવસ્થિરતા અવશ્ય હોય છે. સિદ્ધિ ગતિમાં જન્મ, જરા, મરણાદિ કે આધિ, વ્યાધિ, ઉપાધિ હોતાં નથી. ત્યાં શાશ્વત કાળ માટે આત્માનો વાસ થાય છે. ત્યાં અવ્યાબાધ, અક્ષય, અનંત સુખનો અનુભવ હોય છે. ત્યાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય-એ અનંત ચતુષ્ટયમાં રમણતા હોય છે.
સંસારી જીવો મોહનીય કર્મમાંથી મુક્ત થવા સંયમ ધારણ કરે છે. મુનિજનો, યોગીજનો, સમ્યગુદર્શન વડે શ્રદ્ધાની સ્થિરતા પ્રાપ્ત કરે છે. સમ્યગુજ્ઞાન વડે
સ્વરૂપની એકાગ્રતારૂપી સ્થિરતા પ્રાપ્ત કરે છે અને સમ્યક્ ચારિત્ર વડે સર્વ પ્રકારની ચંચલતાનો ત્યાગ કરી, જ્ઞાનાદિ ગુણોમાં રમણતા કરવારૂપ સ્થિરતા પ્રાપ્ત કરે છે. સંસારમાં ચારિત્રરૂપી સ્થિરતા પ્રાપ્ત કરનાર યોગીજનોનો આદર્શ સિદ્ધ પરમાત્માની આત્મ-સ્વરૂપની અચલ સ્થિરતા પ્રાપ્ત કરવાનો છે. એ માટે તેઓ પ્રચંડ પુરુષાર્થ કરે છે.
વ્યવહારનયથી જોઈએ તો મુનિ ભગવંતો સમિતિ-ગુતિરૂપી જે દ્રવ્ય ચારિત્રનું પાલન કરે છે, આવશ્યકાદિ દ્રવ્યક્રિયારૂપી પ્રવૃત્તિ કરે છે એમાં મન, વચન અને કાયાના યોગોની શુદ્ધિ હોય છે, પણ આત્માના પ્રદેશોની સ્થિરતા ઓછી હોય છે. પરંતુ દ્રવ્યચારિત્ર દ્વારા પ્રાપ્ત થતી ભાવચારિત્રની સ્થિરતા વધતી જાય છે. આ ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે જીવ આરંભમાં પાપપ્રવૃત્તિરૂપી અશુભ કર્મોમાંથી પણ નિવૃત્ત થઈ શુદ્ધ આત્મસ્વરૂપમાં વધુ અને વધુ લીન બનતો જાય. આ રીતે ભાવચારિત્રરૂપી સ્થિરતા અને મોક્ષગતિમાં અનંત ચતુષ્ટયરૂપી સ્થિરતા, આત્મપ્રદેશોની સ્થિરતા પ્રાપ્ત કરાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org