________________
४८
પાનસાર
૪. મોહત્યાગાષ્ટક રિ૫] મહં-મતિ મત્રોડ્યું મોદી ગતિથ્યન્
अयमेव हि नपूर्वः प्रतिमन्त्रोऽपि मोहजित् ।। ४ ।। १ ।। શબ્દાર્થ: મહં-મમ તિ=“હું” અને “મારું' એવો; મંત્ર: મંત્ર; વિદ્યા; મયં આ; મોદ=મોહનો; નવા =જગતને અંધ કરનાર; યમેવ દિ=અને આ (મંત્રોજ, નપૂર્વ=નકારપૂર્વક પ્રતિમંત્ર: વિરોધી મંત્ર; પિ=પણ; મોનિ=મોહને જીતનાર.]
અનુવાદ–“હું” અને “મારું” એ મોહરાજાનો મંત્ર છે. તે જગતને આંધળું કરનાર છે અને નકારપૂર્વક આ જ પ્રતિમંત્ર તે મોહને જીતનાર પણ છે. (૧)
વિશેષાર્થ : ગ્રંથકાર શ્રી પૂ. ઉપાધ્યાયજી મહારાજે પૂર્ણતા, મગ્નતા અને સ્થિરતાનું મહત્ત્વ સમજાવ્યા પછી હવે બતાવે છે કે આત્માની સ્થિરતાનો ભંગ કરનારું સંસારમાં મોટામાં મોટું પરિબળ હોય તો તે મોહ છે. જેઓ સ્થિરતા પ્રાપ્ત કરવા ઇચ્છે તેઓએ મોહ ઉપર અવશ્ય વિજય મેળવવો જોઈએ. એ વિજય મેળવવાની મુખ્ય બે ચાવી અથવા પ્રયુક્તિ છે. તેઓ આ શ્લોકમાં એ ચાવી બતાવે
આપણી પ્રાચીન ભારતીય પરંપરામાં જે વિવિધ પ્રકારની વિદ્યાઓનો વિકાસ થયો તેમાં યુદ્ધકલા પણ છે. શત્રુ સામે યુદ્ધ ખેલનારની પાસે આક્રમણ અને સ્વરક્ષણ એમ બંને પ્રકારની વિદ્યાઓની જાણકારી હોવી જોઈએ. શત્રુને, વિપક્ષને મહાત કરવાની કલામાં પારંગત બનવા માટેની શિક્ષા એ કાળે અપાતી. રાજકીય સ્તરે, સામાજિક સ્તરે અને વ્યક્તિગત કક્ષાએ પણ રિપુમર્દન કરવાનું એવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org