________________
૪. મોહત્યાગાષ્ટક
વ્યક્તિને, યોદ્ધાને આવડવું જોઈએ. પોતાના કરતાં વધુ બળવાન દુશ્મનને પણ પોતાનામાં ઓછી શક્તિ હોવા છતાં પણ ગુપ્ત વિદ્યાથી, યુક્તિપ્રયુક્તિથી જીતી શકાય છે. સ્થૂલ શસ્ત્રો ઉપરાંત મારણ, ટ્રમણ, ઉચ્ચાટન, વશીકરણ ઇત્યાદિ માટે પણ આપણે ત્યાં વિવિધ વિદ્યાઓ છે અને મંત્રપ્રયોગો પણ છે. બીજી બાજુ એનો પ્રતિકાર કરવા માટેની વિદ્યાઓ અને મંત્રો પણ છે અને તે પણ આવડવાં જોઈએ. ભગવાન મહાવીરના જીવનમાં ઉષ્ણ તેજોવેશ્યાનો પ્રતિકાર કરવા માટે એની સામે શીત તેજોવેશ્યા છોડવા અંગેનો ઉલ્લેખ છે.
આમ મંત્રની સામે પ્રતિમંત્ર આવડતો હોય તો કોઈએ કરેલા મંત્રપ્રયોગની અસર પોતાના ઉપર ન થાય, એટલું જ નહિ, છોડેલો મંત્ર પાછો પડે અને છોડનારને જ વિવશ કરી નાખી શકે છે કે મારી નાખી શકે છે.
આપણે મોહાંધ' શબ્દ પ્રયોજીએ છીએ. મોહમાં માણસને આંધળો બનાવવાની શક્તિ છે. એક વખત માણસ અંધ બને એટલે સ્વેચ્છાએ ગમનાગમન ન કરી શકે. પછીથી મોહ દોરી જાય એમ એને દોરાવું પડે, ખેંચાવું પડે, ઘસડાવું પડે.
ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે આખા જગતને અંધ બનાવવાની મંત્રશક્તિ મોહ પાસે છે, કારણ કે એની પાસે બે શક્તિશાળી મંત્રો છે. એક મંત્ર છે ‘’ એટલે “હું અને બીજો મંત્ર છે મમ એટલે મારું. આવો અહંકાર જીવ પાસે વિવિધ પ્રકારના સંકલ્પો કરાવે છે અને “મમકાર' તરેહ તરેહના વિકલ્પો કરાવે છે. એને લીધે જીવ પોતાની જાતને ભૂલી, બહિર્મુખ બનાવી સતત દોટ મૂકતો રહે છે અને અંતે થાકીને પસ્તાય છે, દુઃખી થાય છે, ભવભ્રમણમાં ભટક્યા કરે છે. તે પોતાની જાતને, પોતાના સ્વરૂપ અને શક્તિને ઓળખી શકતો નથી.
મોહનીય કર્મના ઉદયથી આત્માના પરિણામોમાં ચંચળતા ઉદ્ભવે છે, સ્થિરતા હણાય છે અને એથી સમ્યગ્દર્શન અને સમ્યક્રચારિત્ર અવરોધાય છે. એથી આત્માના સહજ જ્ઞાનાદિ ગુણોનો વિપર્યાસ થાય છે. પુદ્ગલો પ્રત્યે આસક્તિ થાય છે અને વિભાવમાં, પરભાવમાં આત્મા ઘસડાય છે અને એમાં જ રાચે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org