________________
૫૦
જ્ઞાનસાર
મોહરાજાનું પ્રાબલ્ય કેટલું બધું છે એ આપણા આગમગ્રંથોમાં અને અન્ય શાસ્ત્રગ્રંથોમાં ઠેર ઠેર દર્શાવવામાં આવ્યું છે. મોહની અસર કેવી અને કેટલી મોટી છે તે અંગે પૂ. શ્રી દેવચંદ્રજી મહારાજે “જ્ઞાનમંજરી' નામની ટીકામાં ટાંકેલી નીચેની કેટલીક ગાથાઓમાં જોઈ શકાશે.
आया नाणसहावी दंसणसीलो विसुद्धसुहरूवो।
जो संसारे भमई एसो दोसो खु मोहस्स ।। [જ્ઞાનસ્વભાવવાળો, દર્શનસ્વભાવવાળો અને વિશુદ્ધ સુખરૂપવાળો એવો આત્મા જે સંસારમાં ભમે છે તેમાં વસ્તુતઃ મોહનો જ દોષ છે.]
जो उ अमुत्ति अकत्ता असंग-निम्मल सहावपरिणामी ।
जो कम्मकवयबद्धो दीणो सो मोहवसगत्ते ।। [જે અમૂર્ત, અકર્તા, સંગરહિત, નિર્મલ અને સ્વભાવપરિણામી આત્મા છે તે કર્મરૂપ કવચથી બંધાયેલો, દીન અને મોહની પરવશતાથી દુઃખી છે.]
ही दुक्खं आयभवं मोहमप्पाणमेव धंसेइ ।
जस्सुदए णियभावं सुद्धं सव्वं पि नो सरइ ।। [આત્માથી ઉત્પન્ન થયેલો મોહ આત્માનો જ પરાભવ કરે છે એ જ દુઃખની વાત છે. એના ઉદયથી આત્મા પોતાના સંપૂર્ણ શુદ્ધ સ્વભાવનું પણ સ્મરણ કરતો નથી.]
મોહનીય કર્મની આવી પરિસ્થિતિમાંથી પાછા હઠવું હોય તો બીજા પ્રકીર્ણ ઉપાયો કરવા સાથે ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે મોહરાજાના મંત્રની સામે પ્રતિમંત્ર અજમાવવાથી કાર્ય સરળ બને છે. એમાં બહુ વિચારવાની જરૂર નથી. મોહરાજાના એ મંત્રોને ઉલટાવવાથી, એટલે કે એમાં આગળ માત્ર “ન” મૂકી દેવાથી એ મંત્રો ધર્મરાજાના મંત્રો બની જશે. એટલે કે હું અને મમ' એ બે મંત્રો મોહરાજાના મંત્રોને નિર્બળ, નિષ્ફળ બનાવી દેનાર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org