SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ૬ જ્ઞાનસાર છે. સાધકે એવા અશુભ પરિબળથી દૂર રહેવું જોઈએ. ભૂતકાળમાં ધન, સ્ત્રી, યશકીર્તિ, સત્તા, પોદ્ગલિક સુખો વગેરેની પ્રાપ્તિ માટે ચંચળ વૃત્તિના કેટલાયે મહાત્માઓએ પોતાની સમાધિરૂપી લક્ષ્મી ગુમાવી દીધી છે. એમનાં ઉદાહરણોમાંથી બોધ લેવો જોઈએ. [૨૪] ચરિત્ર સ્થિરતાપમ: સિદ્ધેશ્વરીષ્યતે | यतन्तां यतयोऽवश्यमस्या एव प्रसिद्धये ।। ३ ।। ८ ।। [શબ્દાર્થ વારિત્ર=ચારિત્ર સ્થિરતાપ સ્થિરતારૂપી; અત:=એટલે; આથી; સિદ્ધેષ સિદ્ધોમાં; આપ પણ; ધ્યતે ઇચ્છાય છે; માનવામાં આવે છે; ઘટે છે; વતન્તા=યત્ન કરો; યતય:=હે યતિઓ; નવ અવશ્ય; મા=એની, સ્થિરતાની વ=જ; પ્રસિદ્ધ પરિપૂર્ણ સિદ્ધિને માટે.] અનુવાદ-ચારિત્ર સ્થિરતારૂપ છે એટલે સિદ્ધોને વિશે પણ એ ઘટે છે. માટે તે યતિઓ ! એની સ્થિરતાની) પરિપૂર્ણ સિદ્ધિ માટે અવશ્ય પ્રયત્ન કરો. (૮) | વિશેષાર્થ: મોક્ષાભિલાષી જીવની સર્વોત્કૃષ્ટ સ્થિરતા તે સિદ્ધ પરમાત્માની સ્થિરતા છે. ત્યાં મન, વચન અને કાયાના યોગો હોતા નથી. આઠ પ્રકારના કર્મોની રજથી સર્વથા તેઓ મુક્ત હોય છે. તેઓ કેવળ શુદ્ધ આત્મસ્વરૂપ હોય છે. સિદ્ધોના અસંખ્ય આત્મપ્રદેશો સર્વથા સ્થિર, અચલ, સ્પંદનરહિત, નિશ્ચલ, નિષ્કપ, સાદિ-અનંતના ભાગે હોય છે. ત્યાં જે આનંદ છે તે શુદ્ધ સ્વરૂપરમણતાનો છે. આ સર્વોત્કૃષ્ટ સ્થિરતાને સિદ્ધ ભગવંતોના ભાવચારિત્ર તરીકે ઓળખાવવામાં આવે છે. જીવનો એ પરમ આદર્શ છે. ચારિત્ર સ્થિરતારૂપ કહેવાય છે. નિશ્ચયનયથી સકલ કર્મથી મુક્ત એવા સિદ્ધોને પણ ચારિત્ર હોય છે. ભગવતીસૂત્રમાં સિદ્ધોને ચારિત્રનો અભાવ કહ્યો છે તે ક્રિયારૂપ કે પ્રવૃત્તિરૂપ ચારિત્રના અર્થમાં કહ્યો છે, કારણ કે સિદ્ધોને મન, વચન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy