________________
૩. સ્થિરતાષ્ટક
અને ઉપયોગી છે, નહિ તો દુકાળ પડે. વૃષ્ટિના આધારે જીવન ટકી રહે છે. પરંતુ ઘનઘો૨ વાદળાં વરસવાની તૈયારીમાં હોય. બરાબર તે જ વખતે જો જોરદાર પવન ફુંકાય તો વાદળાં વિખરાઈ જાય છે. વૃષ્ટિ થતી નથી. ચંચળતા અથવા અસ્થિરતા એ પવનનું લક્ષણ છે. એ મેઘને વિખેરી નાખે છે.
જ્યારે ધર્મમેઘરૂપી સમાધિની પ્રારંભદશા પ્રગટ થવા લાગે, બરાબર તે જ વખતે જીવ જો અસ્થિરતારૂપી પવનની ઉદીરણા કરે તો સ્થિરતાના બળથી પ્રગટ થવા જતી ધર્મમેઘની ઘટાનું વિઘટન થાય છે. એવું વિઘટન ન કરવાની સાધકને ગ્રંથકારશ્રીએ અહીં ભલામણ કરી છે. અહીં ‘ઉદીરણા’ શબ્દ પ્રયોજાયો છે. કર્મનો વિપાકોદય એ સાધકના હાથની વાત નથી, પણ કર્મની ઉદીરણા એ સાધકના પોતાના હાથની વાત છે. એટલા માટે સાધકે પોતાના ચિત્તની સ્થિરતારૂપી સમાધિને ડહોળી નાખે એવી અસ્થિરતાને ઉદ્ભવતી અટકાવવી જોઈએ અને પોતાની એ સમાધિને કેવળજ્ઞાન સુધી હેમખેમ પહોંચાડવી જોઈએ.
ઉપાધ્યાયજી મહારાજે અહીં પાતંજલ યોગદર્શનનો ‘ધર્મમેઘ' શબ્દ જૈન તત્ત્વદર્શનની દ્રષ્ટિએ ઘટાવ્યો છે. મહાત્મા પતંજલિએ અષ્ટાંગયોગમાં સમાધિના બે પ્રકાર બતાવ્યા છેઃ સંપ્રજ્ઞાત સમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિ. ચિત્તની માત્ર સંક્લિષ્ટ એટલે કે અશુદ્ધ વૃત્તિઓનો નિરોધ અથવા અભાવ એ સંપ્રજ્ઞાત સમાધિ છે અને ચિત્તની સંક્લિષ્ટ તથા અસંક્લિષ્ટ એવી સર્વ વૃત્તિઓનો નિરોધ અથવા અભાવ એ અસંપ્રજ્ઞાત સમાધિ છે. ધર્મમેઘ એટલે અસંપ્રજ્ઞાત સમાધિ.
જૈન તત્ત્વદર્શનની દૃષ્ટિએ અસંપ્રજ્ઞાત સમાધિરૂપી ધર્મમેઘ એટલે ક્ષપકશ્રેણીવાળાનું કેવળજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વેનું શુક્લધ્યાન. ધર્મમેઘની ઘટાઓને વિખેરી નાખવી એટલે કેવળજ્ઞાન પ્રગટ થતું અટકાવવું. ઘનઘટા વિખરાઈ જાય એટલે મેઘ વરસે નહિ. ધર્મમેઘ વરસે નહિ એટલે શુક્લધ્યાન પ્રગટ થાય નહિ, એટલે કેવળજ્ઞાન પણ થાય નહિ. તાત્પર્ય એ કે ચિત્તની અસ્થિરતા એ ધર્મમેઘનાં વાદળો એકત્ર થતાં અટકાવનાર, એને વિખેરી નાખનાર ભારે અશુભ પરિબળ
Jain Education International
૪૫
For Personal & Private Use Only
www.jainelibrary.org