SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ જ્ઞાનસાર સુખ ઇચ્છનારા હોય છે. પરંતુ પોતાના આત્માના કલ્યાણના અથ, મોક્ષાર્થી થઈને લોકોત્તર માર્ગમાં પ્રવર્તનારા બહુ ઓછા હોય છે. એટલે જ તેમનું મૂલ્ય વધારે છે. એક ગામમાં એક હીરાના વેપારીની દુકાનની સામે રસ્તા ઉપર શાકભાજી વેચનારા બેસતા. સવાર પડતાં શાકભાજી લેનારાઓની ત્યાં ભીડ જામતી. સાંજ સુધીમાં તો શાક વેચીને શાકભાજીવાળા ચાલ્યા જતાં. એક વખત બહારગામથી એક નવો શાકભાજીવાળો ત્યાં શાક વેચવા આવવા લાગ્યો. એ શાકભાજીવાળાને એક દિવસ મનમાં વિચાર આવ્યો કે સામેવાળા ઝવેરીકાકાને ત્યાં કોઈ ઘરાક જ દેખાતા નથી. બેપાંચ દિવસે એક ઘરાક આવે તો આવે. મારે તો ઘરાકોની એટલી ભીડ હોય છે કે હું વાત કરવા નવરો નથી થતો. પરંતુ નહિ જેવી ઘરાકીથી પેલા બિચારા કાકાનું પૂરું કેમ થતું હશે ? દુકાનનું ભાડું ભરવા જેટલું યે કમાતા હશે કે કેમ ? એને જિજ્ઞાસા થઈ. કોઇકે એને સમજાવ્યું કે ઝવેરીકાકા તો બેપાંચ ઘરાકમાં આખા વરસ જેટલું કમાઈ લે છે. ગામમાં મોટામાં મોટા શ્રીમંત તેઓ છે. એ બંગલામાં રહે છે. આપણે હજુ ઝૂંપડામાં રહીએ છીએ. એ ગામમાં શાકભાજીવાળા સો કરતાં વધુ હતા અને ઝવેરાતની તો બે દુકાનો હતી. એટલે કિમતી રત્નોના વેપારીઓ હંમેશાં થોડા જ રહેવાના. ખાણમાંથી કોલસા પણ નીકળે અને હીરા પણ નીકળે, પણ હીરા તો થોડાક જ નીકળે. બહુ શ્રમ અને ચીવટપૂર્વક ઘસીને પાસાં પાડવામાં આવે અને ચકચકિત કરવામાં આવે એટલે એનું મૂલ્ય ઘણું હોય. એના ખરીદનારા ઓછા એટલે વેચનારા પણ ઓછા. શાકભાજી વાડી-ખેતરમાંથી ગાડાં ભરીને આવે. એટલે એનું મૂલ્ય ઓછું અને ખરીદનારા ઘણા. આમ કિંમતી મોંઘી વસ્તુ હંમેશાં ઓછી હોય છે અને વેપાર કરનારા પણ ઓછા હોય છે. એવી રીતે સંસારમાં ઇન્દ્રિયાર્થ સુખોની પાછળ દોડનારા હંમેશા ઘણા જ રહેવાના અને આત્મસાધના કરનારા ઘણા ઓછા રહેવાના. મોક્ષના સુખનો ખ્યાલ સામાન્ય લોકોને હોય નહિ. ઊલટું તેઓ પ્રશ્ન કરે કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy