________________
૨૩. લોકસંજ્ઞાત્યાગાષ્ટક
૩૦૯
સંસારના મોટા ભાગના જીવો પુદ્ગલાનંદી, ભવાભિનંદી છે અને રહેવાના છે, એમની રુચિ ભોગોપભોગ માટે રહે છે. એક અપેક્ષાએ જોઈએ તો માંસાહારી લોકોની હંમેશાં બહુમતી રહે છે. પશુહિંસાનો તેઓને આનંદ હોય છે. આર્ય કરતાં અનાર્ય લોકો વધુ રહેવાના અને આર્યમાં પણ જૈન ધર્મ આચરનારા થોડા અને જૈન ધર્મનું આચરનારાઓમાં પણ જેમનામાં જૈન ધર્મ પરિણમેલો છે એવા મોક્ષાર્થી જીવો થોડા રહેવાના.
એટલા માટે જ લોકસંજ્ઞાની વાતને પણ બહુ વિવેકપૂર્વક સમજવાની જરૂર છે. સદ્ધર્મ તરફ, કોઈ મહાત્મા તરફ, તીર્થકર ભગવાન તરફ ઘણા લોકો ખેંચાય એથી લોકસંજ્ઞા થતી નથી કારણ કે એ સહજ છે, પણ લોકોનું ટોળું જમાવવા માટે સિદ્ધાન્તોમાં, ધર્માચરણમાં બાંધછોડ કરવામાં આવે, શિથિલતા પ્રત્યે આંખમીંચામણાં થાય, લોકોને રાજી રાખવાનો, લોકોનું મનોરંજન કરવાનો દેખીતો પ્રયાસ થાય એ લોકસંજ્ઞા છે. [૧૧] શ્રેયોડર્થિનો હિ મૂર્યાસી તો નોકોરે ર ર ા
તોહિ રત્નાવળિs: તોલા સ્વાભિસાધl: T૨રૂા [શબ્દાર્થ : શ્રેયોર્થિનો શ્રેયના, મોક્ષના અર્થી; હિં=ખરેખર; મૂયાંસ=ઘણા; નો=લોકમાં, લોકમાર્ગમાં; નોકોત્તરે લોકોત્તર માર્ગમાં; ન=નથી; =અને; સ્તો:=થોડા; હિં=વળી, કારણકે, જેમ કે; રત્નવણન:=રત્નના વેપારી; તો:=થોડા; =અને સ્વાત્મસાધl:=પોતાના આત્માની સાધના કરનારા.]
અનુવાદઃ ખરેખર મોક્ષના અર્થીઓ લોકમાર્ગમાં અને લાકોત્તર માર્ગમાં બહુ નથી. જેમ રત્નના વેપારી થોડા હોય છે તેમ પોતાના આત્માની સાધના કરનારા થોડા હોય છે. (૫)
વિશેષાર્થ : સંસારમાં મોટા ભાગના લોકો લોકપ્રવાહમાં માલમિલકત, ધનવૈભવ, સ્વજને પરિવાર, બાહ્ય સુખસગવડનાં સાધનો વગેરે પ્રકારનું લોકિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org