SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ જ્ઞાનસાર અનુવાદઃ લોકોને અવલંબીને જો ઘણા માણસોએ જે કર્યું હોય તે જ કરવા યોગ્ય હોય તો મિથ્યાદષ્ટિઓનો ધર્મ ક્યારેય ત્યજવા યોગ્ય ન હોય. (કારણ કે તેઓ હંમેશાં બહુમતીમાં જ હોય.) (૪) | વિશેષાર્થ : લોકસંજ્ઞાથી દોરવાઈ ન જવા માટે ઉપાધ્યાયજી મહારાજે અહીં એક સરસ તર્કયુક્ત દલીલ કરી છે. વ્યવહારમાં આપણે કેટલીક વાર બોલીએ છીએ કે “તો પછી શું આટલા બધા લોકો ખોટા ?' સામાન્ય માણસોનો માપદંડ પણ સામાન્ય હોય છે. ઘણા લોકો કહે છે, અથવા કરે છે માટે એ જ સાચું હોવું જોઈએ એવી માન્યતા અધૂરી છે. મહીનનો વેન તિઃ સ સ્થા: એવી લોકોક્તિ પણ પ્રચલિત છે. પરંતુ બહુમતીને અનુસરવાનું દરેક વખતે યોગ્ય નથી. સ્વપર આત્મહિત થતું હોય એ જ મહત્ત્વની વાત છે. લોકરુચિને અનુસરવામાં લોકોના હિતનું જ ખંડન થતું હોય તો તે વર્ય છે. મોટા ભાગના લોકસમુદાય બાળજીવ જેવો છે, તે શું માંગે છે તે નહિ, તેને શું આપવા યોગ્ય છે તે આપવું જોઈએ. એક કાળે હજારોની મેદનીને પોતાના વક્તવ્યથી ડો લાવનારા સાધુ સંન્યાસીઓએ પછીથી ગૃહસ્થ વેશ અપનાવી લીધો હોય એવાં દૃષ્ટાન્તો છે. જંગી બહુમતીથી ચૂંટાઈ આવનાર રાજનેતા પછીથી જેલની સજા ભોગવતો હોય એવી ઘટના બને છે. એટલે બહુમતી એ હંમેશાં સાચી જ નીવડે એવું નથી. ધર્મના ક્ષેત્રમાં બહુમતીનો નિર્ણય હંમેશાં સાચો જ હોય એવું નથી. આ ક્ષેત્રમાં લોકશાહી ન ચાલે. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું કે દુનિયામાં જેટલા સમ્યગુરુષ્ટિ જીવો છે તેના કરતાં મિથ્યાદૃષ્ટિ જીવો વધુ જ રહેવાના. સંસારમાં હંમેશાં મિથ્યાદૃષ્ટિ જીવોની જ બહુમતી રહેવાની. એટલે બહુમતીનો માપદંડ હંમેશાં સાચો હોતો નથી, અધ્યાત્મના ક્ષેત્રે તો નહિ જ. જગતમાં મિથ્યાદર્શનો કેટલાં બધાં છે ! એ બધાંનો સરવાળો કરીએ તો સદ્ધર્મ અલ્પમતિમાં જ આવે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy