SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩. લોકસંજ્ઞાત્યાગાષ્ટક ૩૦૭ દશવૈકાલિક સૂત્રની ચૂલિકામાં કહ્યું છેઃ अणुसोअसुहो लोओ, पडिसोओ आसवो सुविहियाणं । अणुसोओ संसारो, पडिसोओ तस्स उत्तारो॥ [લોકો પ્રવાહને અનુસરવામાં સુખ માનનારા છે, પરંતુ સુવિહિત સાધુઓનો સંયમ તે પ્રતિસ્ત્રોત છે. સામે પ્રવાહે તરવારૂપ છે. પ્રવાહને અનુસરવું એ સંસાર છે અને સામા પ્રવાહે તરવું એ સંસારનો પાર પામવારૂપ છે.] સંસારની દિશા એક છે અને મોક્ષપુરુષાર્થની દિશા જુદી છે. સામાન્ય માનવીઓ પોતાની કાચી સમજ પ્રમાણે પુરુષાર્થ કરે છે, પણ એ ઊંધી દિશામાં હોય છે. કેટલીયે વાર સાધુઓ પણ લોકમાન્યતામાં ભૂલથી કે ઇરાદાપૂર્વક ભળી જાય છે. જે સાધુઓને સમાજની બહુ ગરજ હોય તે સાધુઓ વિપરીત વાતમાં પણ નમતું જોખે છે. પરંતુ જે સાચા મહામુનિ છે, જેમને સમાજ પાસેથી કોઈ વસ્તુની અપેક્ષા હોતી નથી તેઓ પોતાના માર્ગમાં, પોતાની માન્યતામાં સુદઢ રહે છે. એમને ગોચરી સિવાય સમાજની કશી ગરજ નથી અને ગોચરી તો ગમે ત્યાંથી મળી રહેશે અને નહિ મળે તો તપશ્ચર્યા થશે એવી દઢ શ્રદ્ધા હોય છે. એટલે ગમે તેવા મોટા શ્રેષ્ઠીની, સંઘપતિની એમને દરકાર હોતી નથી. તેઓ ખુશામતનાં વચન બોલતા નથી. એનો અર્થ એ નથી કે તેઓ હેતુપૂર્વક તેઓની અવજ્ઞા કરે છે, પરંતુ હકીકતમાં તેઓ પોતાની આત્મમસ્તીમાં લીન રહી શકે છે. [૧૮] નવમાત્રજ્ય સર્તવ્યં વૃતં વઘુમરેવ વેત્ તવા મિથ્યાદશાં થર્મોન ત્યષ્ય: થાત્ લેવાન ા૨રૂા.૪ [શબ્દાર્થ ઃ નોર્જ લોકને; મનષ્ય અવલંબીને; »ર્તવ્ય કર્તવ્ય; તં=કરેલું; વહુમિ:=ઘણા માણસો વડે; પર્વ જ; વે=જો; તાકતો; મિથ્યાદશ= મિથ્યાદૃષ્ટિઓનો; ધર્મ =ધર્મ; ન=નથી; ત્યાન્વ=ત્યજવા યોગ્ય; =હોય; વીવન કદી પણ.] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy