________________
૨૨. ભવોઢેગાષ્ટક
૨ ૯૯
કરવાનો છે. ભગવાન મહાવીરે અનાર્ય લાઢ પ્રદેશમાં જઈ સ્વેચ્છાએ કષ્ટો સમભાવપૂર્વક સહન કર્યા હતાં. એમને શિકારી કૂતરાઓ કરડ્યા હતા, અનાર્ય લોકોએ એમને ચોર કે જાસૂસ સમજી ધક્કા માર્યા હતા અને પ્રહારો કર્યા હતા. સંગમ દેવે કેટલા બધા ઘોર ઉપસર્ગો કર્યા હતા ! ભગવાને પોતાનાં ભારે કર્મો ખપાવવા માટે આ બધું કષ્ટ સહન કર્યું હતું. બંધક મુનિ મેતાર્ય મુનિ, ગજસુકુમાલ મુનિ વગેરેનાં દૃષ્ટાન્નો જાણીતાં છે.
આમ ઉપસર્ગો સંસારનો ભય દૂર કરવામાં સહાયરૂપ બને છે. [૧૭૬] બૈર્ય મવમયાદેવ વ્યવહાર મુનિને
स्वात्मारामसमाधौ तु तदप्यन्तर्निमज्जति ।।२२।।८।। [શબ્દાર્થ ઃ શૈર્ય ધૈર્ય, સ્થિરતા; મવમયા=સંસારના ભયથી; પર્વ જ; વ્યવહારે વ્યવહાર દશામાં, વ્યવહાર નથી; મુનિ =મુનિ, સાધુ; ને પામે; સ્વીત્મારામ=પોતાના આત્મામાં રમણતારૂપ; સમાધૌ=સમાધિમાં; તુ=પરંતુ, તપિત્રુતે (ભય) પણ; મન્તર્નમMતિ=અંદર વિલીન થઈ જાય છે..
અનુવાદઃ વ્યવહાર દશામાં (અથવા વ્યવહાર નથી) મુનિ સંસારના ભયથી જ સ્થિરતા પામે છે, પરંતુ પોતાના આત્મામાં રમણતારૂપી સમાધિમાં હોય છે ત્યારે તે (ભય) પણ અંદર વિલીન થઈ જાય છે. (૮)
વિશેષાર્થ : ઉપાધ્યાયજી મહારાજે સંસારના ભય વિશે વ્યવહારનયથી અને નિશ્ચયનયથી એમ બંને રીતે અહીં સરસ સ્પષ્ટતા કરી છે.
કોઈને એમ થાય કે ભયને કારણે અમુક કાર્ય કરવું પડે, ડરના માર્યા ન છૂટકે કોઈ કામ કરવાનું આવે તો એ કામમાં શો ભલીવાર ? ડર વગર સ્વેચ્છાએ સહજ રીતે ભાવથી કામ કરે તો કેટલું સરસ થાય ! ડરથી કાર્ય થાય તે શું સારું થઈ શકે ? થાય તો તે કેટલું ટકે ? વાસ્તવિકતાની દૃષ્ટિએ આવો પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે. એટલે તે અંગે અહીં ભૂમિકાભેદથી ખુલાસો કરવામાં આવ્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org