SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ જ્ઞાનસાર [શબ્દાર્થ વિષ=વિષ; વિષસ્થ વિષનું; વને વહ્નિવાળાનું, અગ્નિથી દાઝેલાનું; =અને; વદિf=અગ્નિ; પવ=જ; ય=જેમ; મૌષથઋઓષધ; ત—તે; સત્યં=સાચું છે. મવમીતાનાં સંસારથી ભય પામેલાને; ૩૫fપ ઉપસર્ગ પ્રાપ્ત થવા છતાં; ય =કારણકે; ન=નથી; મી:=ભય]. અનુવાદઃ વિષનું ઔષધ વિષ છે અને અગ્નિનું (ઓષધ) અગ્નિ જ છે તે સત્ય છે, કારણ કે સંસારથી ભયભીત થયેલા (મુનિઓને) ઉપસર્ગમાં પણ ભય હોતો નથી. (૭). વિશેષાર્થ: રોગના કેટલાક ઇલાજો અપવાદરૂપ અને અકસીર હોય છે. આપણે કહીએ છીએ કે કાંટાથી કાંટો નીકળે. વગડામાં જતાં કાંટો વાગ્યો હોય અને બીજું કંઈ સાધન ન હોય તો બીજા કાંટાની અણી વડે પગમાં ભોંકાઈ ગયેલો કાંટો કાઢી શકાય છે. ઔષધોપચારમાં પણ આવું બને છે, જેમ કે વિષનું એક ઔષધ તે વિષ પોતે છે. અમુક પ્રકારનું વિષ તે વિષનું મારણ છે. એવી રીતે અગ્નિનું (ગરમીનું) ઔષધ અગ્નિ (ગરમી) છે. કોઈની આંગળી દાઝી હોય તો એના ઉપર ગરમાગરમ ઘી લગાડાય છે. જો આ પ્રમાણે બની શકતું હોય તો જેને સંસારનો ભય લાગતો હોય (સંસારમાંથી છૂટવાની ઇચ્છા હોય) તો તેનો ભય દૂર કરવા ઉપસર્ગોના ભયરૂપી એક ઉપાય (કર્મક્ષયનો ઉપાય) કારગત નીવડે છે. ઉપસર્ગોરૂપી ઔષધ સેવવાથી સંસારનો ભય ભાગે. આ કેવી રીતે બને ? આમ જુઓ તો સામાન્ય માણસને સંસારનો ભય નથી. તે ખાઈપીને હરે ફરે છે અને મોજ માણે છે. પરંતુ જે જીવ સંસારનું વાસ્તવિક સ્વરૂપ શું છે તે જાણે છે કે જન્મ, જરા અને મૃત્યુ દુઃખમય છે અને એનું ચક્ર સતત ચાલ્યા કરે છે. એ ચક્રમાંથી છૂટવા માટે જો પુરુષાર્થ થાય તો જ મુક્તિનું સુખ અનુભવી શકાય. કેવળજ્ઞાન મેળવવા માટે ઘાતી કર્મોનો ક્ષય અનિવાર્ય છે. કર્મોનો ઝપાટાબંધ અને જથ્થાબંધ ક્ષય કરવા માટેનો એક અમોઘ ઉપાય તે ઉપસર્ગો સ્વેચ્છાએ સહન For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy